Gujarati News

Gujarati News

News of Saturday, 17th September 2022

મોરબીના દુષ્‍કર્મ કેસમાં જામીન ઉપર ફરાર આરોપી જામનગરથી પકડાયો

(પ્રવીણ વ્‍યાસ દ્વારા )મોરબીમાં પેરોલ ફર્લો સ્‍કવોડ અને એલ.સી.બી. પોલીસ દ્વારા દુષ્‍કર્મ કેસમાં છેલ્લા છ માસથી વચગાળાના જામીન ઉપરથી ફરાર થયેલ આરોપીને  જામનગરથી ઝડપી લેવામાં આવ્‍યો છ

 પ્રાપ્ત વિગતો અનુસાર પેરોલ ફર્લો સ્‍કવોડના પો.હેડ.કોન્‍સ. જયેશભાઇ વાઘેલા, ચંન્‍દ્રકાંતભાઇ વામજા તથા પોકોન્‍સ. બ્રિજેશભાઇ કાસુન્‍દ્રાને ચોક્કસ બાતમી મળી હતી કે, દોઢ વર્ષની બાળકીના અપહરણ કેસમાં મોરબી સબ જેલમા રહેલ કાચા કામના આરોપી મનોજ ઉર્ફે ટેટીયા ડેલસીંગ તોલીયાભાઇ મોહનીયાને વચગાળાના જમીન પર તા.૨૦/૦૧/૨૦૨૨ થી તા.૨૨/૦૩/૨૦૨૨ સુધી મુકત કરવામાં આવ્‍યો હતો. પરંતુ આરોપી હાજર થયો ન હતો અને ફરાર થયો હતો. હાલ આરોપી મનોજ જામનગર ખાતેના લાલપુર બાયપાસ રોડ જલ્‍સા હોટલ પાછળ ઝુંડામાં હોવાની વિગતો મળી હતી, જેથી પોલીસકર્મીઓ જામનગર ખાતે ઘટના સ્‍થળે પહોંચ્‍યા હતા અને આરોપીની ધરપકડ કરીને મોરબી સબ જેલ ખાતે સોપવા તજવીજ હાથ ઘરી હતી. 

 આ કામગીરીમાં એમ.આર.ગોઢાણીયા પોલીસ ઇન્‍સ્‍પેકટર, એલ.સી.બી. તથા એન.બી.ડાભી, પોલીસ,ઇન્‍સ. એલ.સી.બી.  એન.એચ.ચુડાસમા, પો.સબ.ઇન્‍સ. એલ.સી.બી તથા ફર્લો સ્‍કવોડ, ટેકનીકલ સેલ તથા AHTU મોરબીના સ્‍ટાફ સહિતના પોલિસકર્મીઓ જોડાયા હતા.

(1:14 pm IST)