Gujarati News

Gujarati News

News of Saturday, 17th September 2022

ઇલેકટ્રીક શોક લાગતા જુજારપુર ગામના આધેડનું મૃત્‍યુ

(વિનુ જોષી દ્વારા) જૂનાગઢ,તા. ૧૭ : ઇલેકટ્રીક શોક લાગતા જુજારપુર ગામના આધેડનું મૃત્‍યુ થયું હતું.
માળીયાહાટીના તાલુકાના જુજારપુર ગામનાં ૪૫ વર્ષીય ગોવિંદભાઇ ભીખાભાઇ પંડિત ગઇ કાલે સાંજે ચોરવાડ પાસેના ફુફસવાડા ગામ નજીક આવેલ પથ્‍થરની ખાણમાં કામ કરતા હતા. ત્‍યારે ગોવિંદભાઇને મશીનનું હેન્‍ડલ ફેરવતાં અચાનક ઇલેકટ્રીક શોક લાગતા તેમનું ગંભીર રીતે દાઝી જવાથી મૃત્‍યુ થતા હેડ કોન્‍સ. એચ.બી. ડાકીએ આગળની કાર્યવાહી કરી હતી.

 

(1:35 pm IST)