Gujarati News

Gujarati News

News of Saturday, 17th September 2022

વડાપ્રધાનના જન્મદિવસે મા અંબા ની વિશેષ પૂજા અર્ચના કરી દીર્ઘાયુ માટે પ્રાર્થના કરાઈ

મંદિર ટ્રસ્ટ દ્વારા મહંત શ્રી તનસુખ ગીરીબાપુની મિશ્રામાં માતાજીની વિશેષ પૂજા અર્ચના પૂજારી દ્વારા કરાઈ હતી

જુનાગઢ ગીરીવર ગિરનારની ટોચ ઉપર બિરાજમાન જગતજનની મા અંબાના સાનિધ્યમાં આજરોજ ભારતના યશસ્વી વડાપ્રધાન નરેન્દ્ર ભાઈ મોદીના જન્મદિવસે મંદિર ટ્રસ્ટ દ્વારા મહંત શ્રી તનસુખ ગીરીબાપુની મિશ્રામાં માતાજીની વિશેષ પૂજા અર્ચના પૂજારી દ્વારા કરાઈ હતી જેમાં વડાપ્રધાન નરેન્દ્ર ભાઈ મોદીના દીર્ઘાયુ માટે માટે પ્રાર્થના કરાય હતી આ પ્રસંગે ભવનાથ ક્ષેત્રના કોર્પોરેટર એભાભાઈ કટારા વગેરે સાથે રહ્યા હતા

(8:43 pm IST)