Gujarati News

Gujarati News

News of Wednesday, 18th January 2023

ભાયાવદરના ખારચીયા ગામે અલ્પેશ કુડેચા ઉપર હુમલો

પોલીસને બાતમી કેમ આપે છે? તેમ કહી સાગર અને અજય લાડી સાથે તૂટી પડયા

રાજકોટ તા. ૧૮ :.. ભાયાવદરના ખારચીયા ગામે પોલીસને બાતમી કેમ આપે છે ? તેમ કહી યુવાન ઉપર બે શખ્સોએ લાકડીથી હુમલો કર્યો હતો.

પ્રાપ્ય વિગતો મુજબ ખારચીયા ગામે રહેતા અલ્પેશ પરસોતમભાઇ કુંડેચા (ઉ.વ.૩૧) ઢાંક રોડ ઉપર પુલ નીચે હતા ત્યારે તે જ ગામના સાગર બાબુભાઇ વાઘેલા અને અન્ય અજય જેરામભાઇ મગવાનીયાએ ત્યાં આવી તુ કેમ પોલીસને અમારી બાતમી આપે છે ? તેમ કહી લાકડીથી તેમજ ઢીકાપાટુનો માર માર્યો હતો. આ અંગે ઉકત બન્ને શખ્સો સામે ફરીયાદ થતા હેડ કો. પી. બી. કિહલાએ તપાસ હાથ ધરી છે.

(1:07 pm IST)