Gujarati News

Gujarati News

News of Wednesday, 18th January 2023

પોરબંદરમાં ઘીના સળગતા દીવાની વાટ લઇને ઉંદર ભાગ્‍યો અને ઘરમાં આગ લાગી ગઇ

ઘરના તમામ સભ્‍યો દેરાસરે ગયા હોય બચી ગયાઃ ઘરવખરી બળીને ખાખ

(હેમેન્‍દ્ર કુમાર પારેખ દ્વારા) પોરબંદર તા. ૧૮ : પારેખ ચકલામાં જૈન દેરાસર સામે આવેલા મકાનમાં તમામ સભ્‍યો દેરાસરમાં ગયો હોય ત્‍યારે પાછળથી ખાલી જગ્‍યામાં ઘરમાં સળગતા ઘીના દીવાની વાટ ઉંદર લઇને ભાગીને આ વાટ ઘરમાં મુકી દેતા ઘર વખરી બળી જતાં મોટી નુકસાની થઇ છે ફાયર બ્રીગેડે  બે કલાકે આગને કાબુમાં લીધી હતી. અને આગ લાગી તેની બાજુમાં આવેલ અન્‍ય મકાનોમાં ફેલાતી આગ ઠારી નાખી હતી.

પારેખ ચકલામાં જૈન દેરાસર સામે હિતેશભાઇ અને બકુલભાઇ હરકીશનભાઇ સાવડિયા જૈનના મકાનમાં આજે સવારે ઘીના સળગતા દીવાની વાટ ઉંદર લઇને ભાગ્‍યો અને આ વાટ ઘરમાં મુકીને નાસી જતાં ઘરમાં સળગતી વાટે મોટું સ્‍વરૂપ પકડી લીધુ હતું અને આગ ફેલાતા ઘર વખરી બળી જતા મોટી નુકસાની થઇ છે. ઘરના તમામ સભ્‍યો દેરાસરમાં ગયા હોય જાનહાની થઇ નથી.ફાયર બ્રીગેડની ટીમે બે કલાક સુધી પાણીનો મારો ચલાવીને આગ ઠારી નાખી હતી.

(2:46 pm IST)