Gujarati News

Gujarati News

News of Wednesday, 18th January 2023

મોરબીના રંગપર ગામે જીલ્લા પોલીસવડાની અધ્યક્ષતામાં લોક દરબાર યોજાયો

વ્યાજખોરોના ચકમા ફસાયેલ હોય તો કોઈપણ જાતનો ડર રાખ્યા વિના પોલીસનો સંપર્ક કરે

મોરબી તાલુકાના રંગપર ગામે જીલ્લા પોલીસવડા રાહુલ ત્રિપાઠીના માર્ગદર્શન હેઠળ લોક દરબારનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ગ્રામજનોને વ્યાજખોરોના ચક્રમાં ના ફસાવવા અને સરકારની યોજનાઓ તેમજ સસ્તી લોન અંગે જરૂરી માહિતી અને માર્ગદર્શન પૂરું પાડવામાં આવ્યું હતું

  તેમજ લોક દરબારમાં કોઈ નાગરિક વ્યાજખોરોના ચકમા ફસાયેલ હોય તો કોઈપણ જાતનો ડર રાખ્યા વિના પોલીસનો સંપર્ક કરે તેમ જણાવ્યું હતું લોક દરબારમાં ડીવાયએસપી ઝાલા, પીઆઈ વાળા, પ્રો. પીઆઈ સોલંકી ઉપરાંત આગેવાનો અને ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા.

(12:09 am IST)