Gujarati News

Gujarati News

News of Thursday, 18th April 2024

પ્રસિધ્ધ શનિધામ મંદિરનાં તૃતીય પાટોત્સવ નીમીતે ભાગવત સપ્તાહનું આયોજન

વ્યાસપીઠ પર શાસ્ત્રી જયસુખભાઇ પંડ્યા (શ્રીનાથગઢ) બિરાજી સંગીતમય શૈલીમાં કથાનું રસપાન કરાવશે

ગોંડલ નાં મોવીયા શ્રીનાથગઢ રોડ પર આવેલા પ્રસિધ્ધ શનિધામ મંદિરનાં તૃતીય પાટોત્સવ નીમીતે આજ તા.૧૭ બુધવાર થી શ્રીમદ ભાગવત સપ્તાહ જ્ઞાનયજ્ઞની રાત્રી કથાની શરુઆત થઈ છે.કથાનો સમય રાત્રીનાં સાડા આઠથી સાડા અગીયારનો છે.વ્યાસપીઠ પર શાસ્ત્રી જયસુખભાઇ પંડ્યા (શ્રીનાથગઢ)સંગીતમય શૈલીમાં કથાનું રસપાન કરાવી રહ્યા છે.શનીદેવ પાટોત્સવ તથા શનીયજ્ઞ તા.૨૦ શનીવારનાં યોજાશે.ભાગવત સપ્તાહનો કથા વિરામ તા.૨૩ મંગળવારનાં થનાર છે.

(1:00 am IST)