Gujarati News

Gujarati News

News of Thursday, 18th April 2024

ભાવનગરમાં રૂપાલાના પૂતળાનું દહન કરાતા ૨૦ યુવાનો સામે પોલીસ ફરિયાદ

(મેઘના વિપુલ હિરાણી દ્વારા) ભાવનગર તા.૧૮ : ભાવનગર શહેરના  કાળીયાબિડ વિસ્તાર માં  અજાણ્યા યુવાનોએ પરસોતમભાઇ રૂપાલાનુ પુતળુ બાળી જાહેરનામાનો ભંગ કરતા પોલીસે જાતે ફરિયાદી બની ૨૦ યુવાનો વિરૂધ્ધ  ફરિયાદ નોંધાવી છે.

ભાવનગરમાં  રૂપાલા સામે નો વિરોધ યથાવત રહેવા પામ્યો છે. શહેરના કાળીયાબિડ પાણીની ટાંકી વાળા સર્કલમાં આશરે ૨૦ યુવાનોએ  પ્રસિધ્ધ કરેલ જાહેરનામાનો ભંગ કરી પરસોતમભાઇ રૂપાલાનુ પૂતળું બાળી જાહેરનામાનો ભંગ કર્યો હતો, આ બનાવની જાણ નિલમબાગ પોલીસને થતા પોલીસ કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો, પરંતુ પોલીસને નિહાળી ટોળું વિખરાઈ નાસી જતા પોલીસે ૨૦ અજાણ્યા શખ્સો વિરૂધ્ધ જાહેરનામાની કલમ ૧૮૮ મુજબ ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે.

(11:27 am IST)