Gujarati News

Gujarati News

News of Thursday, 18th April 2024

જામનગર ભાજપના ઉમેદવાર પૂનમબેન માડમની હાલાર આશીર્વાદ યાત્રામાં કેન્દ્રીયમંત્રી અનુરાગ ઠાકુર પહોંચ્યા

કેબિનેટ મંત્રી રાઘવજી પટેલ, મુળુભાઇ બેરા, વિધાનસભાના દંડક જગદીશ મકવાણા,રિલાયન્સના ધનરાજભાઈ નથવાણી, પૂર્વ મંત્રી અને ધારાસભ્ય જયેશ રાડદીયા, ધારાસભ્યો રિવાબા જાડેજા, દિવ્યેશ અકબરી, પબુભા માણેક, મેઘજી ચાવડા સહિતના મહાનુભાવો ઉપસ્થિત

જામનગર : જામનગર ભાજપના ઉમેદવાર પૂનમબેન માડમની હાલાર આશીર્વાદ યાત્રામાં કેન્દ્રીય સૂચના પ્રસારણ મંત્રી અનુરાગ ઠાકુર ખાસ ઉપસ્થિત રહ્યા હતા , કેન્દ્રીય મંત્રી અનુરાગ ઠાકુરે પ્રધાન મંત્રીના નેતૃત્વમાં 2019 માં 303 સીટ હતી આ વખતે 400 પારનો લક્ષ્યાંક હોવાનું જણાવી બન્ને ચૂંટણીઓ વચ્ચેનો ફરક અનુરાગ ઠાકુરે ગણાવી કેન્દ્ર સરકારની યોજનાઓના વખાણ કર્યા હતા

હાલાર આશીર્વાદ યાત્રામાં કેબિનેટ મંત્રી રાઘવજી પટેલ, મુળુભાઇ બેરા, વિધાનસભાના દંડક જગદીશ મકવાણા,રિલાયન્સના ધનરાજભાઈ નથવાણી, પૂર્વ મંત્રી અને ધારાસભ્ય જયેશ રાડદીયા, ધારાસભ્યો રિવાબા જાડેજા, દિવ્યેશ અકબરી, પબુભા માણેક, મેઘજી ચાવડા સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા

 

(10:33 pm IST)