Gujarati News

Gujarati News

News of Tuesday, 18th May 2021

એક મહિના થી માળીયા હાટીના માં કાળનો પડાવ : અધધ ૨૦૦ના મોત

માળીયા હટીના,તા.૧૮ :  માળીયા હાટીના વિસ્તારમાં કાળે જાણે પડાવ નાખ્યો હોય એમ દરરોજ  એક પછી એક એમ કુલ દરરોજ ૫ થી ૬ લોકોના મોત થાય છે ક્યારેક ક્યારેક તો ૯ થી ૧૦ લોકોના પણ મોત થયાં છે  આમ એક મહિનામાં ૨૦૦ થી પણ વધારે લોકોના મોત થયા હોવાનું કહેવાય છે એમા પણ જુવાન જોધ લોકોના મોત થાય છે  ક્યારેક ક્યારેક તો સ્મશાનમાં અગ્નિ સંસ્કાર કરવામાં લાઈનમાં વારો આવે છે  આમ કાળે માળીયા હાટીનામાં પડાવ નાખ્યો હોય એવું લાગે છે માળીયાના ઈતિહાસમાં ક્યારેય આટલા મોત નથી થયા એટલા બધા મોત આ એક મહિનામા  થયા છે એમ લોકો માંથી જાણવા માળે છે.

(12:28 pm IST)