Gujarati News

Gujarati News

News of Tuesday, 18th August 2020

ભાવનગરમાં કોરોનાથી બેના મોત : ૨૯ પોઝિટિવ કેસો નોંધાયા

 ભાવનગર, તા.૧૮ :  જિલ્લામાં છેલ્લા ૨૪ કલાક દરમિયાન ૨૯ નવા કોરોના પોઝીટીવ કેસ નોંધાતા જિલ્લામા કોરોના પોઝીટીવ કેસોની સંખ્યા ૨,૧૩૯ થવા પામી છે. જેમાં ભાવનગર શહેરી વિસ્તારમા ૧૪ પુરૂષ અને ૬ સ્ત્રી મળી કુલ ૨૦ કેસો નોંધાયા છે. જયારે તાલુકાઓમા ભાવનગર તાલુકાના કામળેજ ગામ ખાતે ૧, ભાવનગર તાલુકાના કરદેજ ગામ ખાતે ૧, મહુવા ખાતે ૧, સિહોર ખાતે ૩, ઉમરાળા તાલુકાના બોચડવા ગામ ખાતે ૧, ઉમરાળા તાલુકાના દડવા ગામ ખાતે ૧ તેમજ વલ્લભીપુર ખાતે ૧ કેસ મળી કુલ ૯ લોકોના કોરોના રીપોર્ટ પોઝીટીવ આવતા તેમને વધુ સારવાર માટે દાખલ કરવામા આવેલ છે.

જયારે ભાવનગર મહાનગરપાલિકા વિસ્તારના ૨૦ અને તાલુકાઓના ૧૦ એમ કુલ ૩૦ કોરોના પોઝિટિવ દર્દી કોરોનામુકત થતા તેને હોસ્પિટલમાંથી રજા અપાઈ છે. ભારત સરકારની નવી માર્ગદર્શિકા પ્રમાણે આ તમામ દર્દીઓની આરોગ્ય ચકાસણી કરતા અને તેઓ માર્ગદર્શિકાના માપદંડો પ્રમાણે સ્વસ્થ જણાતા આ તમામ દર્દીઓને  હોમ આઈસોલેશનમા રહેવા માટે હોસ્પિટમાથી રજા આપવામા આવી હતી. આ તમામ દર્દીઓએ હોસ્પિટલમાંથી ડિસ્ચાર્જ થયા બાદ ૭ દિવસ સુધી ફરજીયાત હોમ આઈસોલેશનમા રહેવાનુ રહેશે તેમજ  ગારીયાધાર અને ભાવનગર  ખાતે રહેતા કોરોના પોઝીટીવ દર્દીઓનું સારવાર દરમ્યાન અવસાન થયેલ છે.

આમ જિલ્લામા નોંધાયેલા ૨,૧૩૯ કેસ પૈકી હાલ ૪૨૮ દર્દીઓ સારવાર હેઠળ છે. જયારે અત્યાર સુધીમા કુલ ૧,૬૬૬ દર્દીઓને ડિસ્ચાર્જ કરવામા આવ્યા છે તેમજ જિલ્લામા ૩૮ દર્દીઓનુ અવસાન થયેલ છે.

(12:01 pm IST)