Gujarati News

Gujarati News

News of Tuesday, 18th August 2020

જૂનાગઢમાં ભાદરવી અમાસ નિમિત્તે દામોદરકુંડ ખાતે કોરોના સંદર્ભે પ્રવેશબંધી

જુનાગઢ :::જૂનાગઢમાં ભાદરવી અમાસ નિમિત્તે દામોદરકુંડ ખાતે કોરોના સંદર્ભે  પ્રવેશબંધી ફરમાવવામાં આવી છે.

જૂનાગઢ જિલ્લા તંત્ર દ્વારા તારીખ 18 ને મંગળવારથી તારીખ 19 ને બુધવાર સુધી ભાદરવી અમાસ નિમિત્તે ભાવિકોને દામોદર કુંડ ખાતે આવવા  ઉપર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે.

 અત્રે ઉલ્લેખનીય છે કે ભાદરવી અમાસ નિમિત્તે દર વર્ષે મોટી સંખ્યામાં ભાવિકો ઉમટી પડે છે. પરંતુ આ વખતે કોરોના ના કારણે ભાવિકોની ભીડ ના થાય તે માટે તંત્ર દ્વારા નિર્ણય કરાયો છે.

(6:35 pm IST)