Gujarati News

Gujarati News

News of Tuesday, 18th August 2020

સણોસરા પ્રાથમીક આરોગ્ય કેન્દ્ર દ્વારા એન્ટીજન ટેસ્ટઃ ગ્રામજનોના રીપોર્ટ નેગેટીવ

રાજકોટ નજીક આવેલા સણોસરા ગામે લોકોના સ્વાસ્થ્ય અને આરોગ્યની સુરક્ષાને ધ્યાનમાં રાખી સણોસરા પ્રાથમીક આરોગ્ય કેન્દ્ર દ્વારા સણોસરા ગામના કરીયાણાના વેપારીઓ, શાકભાજી વેચનાર, હેર સલુન ધરાવતા લોકો તેમજ ચાની હોટલો ધરાવતા લોકોના એન્ટીજન ટેસ્ટ કરવામાં આવ્યા હતા. જે તમામ નેગેટીવ આવેલ છે. આ માટે સણોસરા પ્રાથમીક આરોગ્ય કેન્દ્રના મેડીકલ ઓફીસર ડો.પી.પી.પટેલ, આયુષ મેડીકલ ઓફીસર રોશનીબેન કંટેસરીયા, સુપરવાઇઝર દિનેશભાઇ કાકડીયા, ભાવદીપભાઇ રાઠોડ, સંજીરાબેન બાદી, અર્ચીતાબેન પટેલ, વિદ્યાબેન જોધાણી વગેરેએ કામગીરી બજાવી હતી. આ સમયે સરપંચ શ્રીમતી નફીસાબેન યુનુસભાઇ શેરસીયા, ઉપસરપંચ બાબુભાઇ ડાભીએ સહકાર આપેલ હતો.

(12:07 pm IST)