Gujarati News

Gujarati News

News of Tuesday, 18th August 2020

શ્રી સોમનાથ મહાદેવને શીશ ઝુકાવીને સી.આર.પાટીલ સૌરાષ્ટ્રનો પ્રવાસ આરંભશે

વેરાવળ, તા. ૧૮ :  કાલે શ્રી સોમનાથ મહાદેવના દર્શન કરીને ભાજપ પ્રદેશ પ્રમુખ સી.આર. પાટીલ સૌરાષ્ટ્રના પ્રવાસનો પ્રારંભ કરશે.

તા.૧૯ ના રોજ સોમનાથ મહાદેવ મંદિરે સવારે ૯ વાગ્યે આવશે ત્યારે બાયપાસ થી તેમને આવકારવા  માટે મોટરકાર, મોટરસાઈકલ રેલીના રૂપ માં મોટી સંખ્યામાં  આવકારવા જશે ત્યારબાદ સોમનાથ ના દર્શન પુજા ધ્વજા ભાજપ પક્ષ દ્રારા શાનદાર કાર્યક્રમ ગોઠવવામાં આવેલ છે તેમાં સંગઠન ની મીટીંગ, સમાજના અગ્રણીઓની મુલાકાત ત્યારબાદ પત્રકારો સાથે વાત કરશે આ કાર્યક્રમમાં ત્રણ જીલ્લામાંથી આવેલા ૪૦૦ થી વધારે આગેવાનો, કાર્યકરો પત્રકારો માટે બે થી ત્રણ જગ્યાએ ભોજન વ્યવસ્થા કરાયેલ છે તેમજ સી.આર.પાટીલ ને શુભેચ્છા આપવા માટે કેટલાય કીલો મીટર સુધી મોટા મોટા શુભેચ્છા બોર્ડ હાઈવે ઉપર લગાડવામાં આવશે તેના માટે જીલ્લાભરના આગેવાનો કાર્યકરો ભારે દોડધામ કરી રહેલ છે.

(1:02 pm IST)