Gujarati News

Gujarati News

News of Tuesday, 18th August 2020

જામનગરના લાલપુર અને કચ્છના ભચાઉ તથા રાપરમાં ભૂકંપના આંચકા

રાજકોટ :::જામનગરના લાલપુર અને કચ્છના ભચાઉ તથા રાપરમાં ભૂકંપના આંચકા અનુભવાયા છે.

        ગાંધીનગર સ્થિત સિસ્મોગ્રાફી સેન્ટરના અહેવાલમાં જણાવાયું છે કે ગઈકાલે સોમવારે સાંજે ૭:૨૧ વાગ્યે લાલપુર થી  ૨૪ કિલોમીટર દૂર દક્ષિણ દિશા તરફ ૨.૧ ની તીવ્રતાનો ભૂકંપનો આંચકો અનુભવાયો હતો.

           જયારે રાત્રીના ૧૦:૨૮ વાગ્યે કચ્છના રાપર થી ૨૨ કિલોમીટર દૂર પૂર્વ દિશા તરફ ૩.૬ ની તીવ્રતાનો ભૂકંપનો આંચકો અનુભવાયો હતો.

           આ ઉપરાંત મોડીરાત્રીના ૨:૨૨ વાગ્યે જામનગર જિલ્લાના લાલપુર થી ૩૧  કિલોમીટર દૂર દક્ષિણ દિશા તરફ ૨.૦ ની તીવ્રતાનો ભૂકંપનો આંચકો અનુભવાયો હતો.

         આજે બપોરે ૧૨:૩૮ વાગ્યે કચ્છના ભચાઉમાં ૧.૬ ની તીવ્રતાનો ભૂકંપનો આંચકો નોંધાયો હતો.

(1:14 pm IST)