Gujarati News

Gujarati News

News of Monday, 18th October 2021

અમરેલી જીલ્લા પુરબીયા રાજપુત સમાજ દ્વારા દશેરાના શસ્ત્રપૂજન કાર્યક્રમ સંપન્ન

(અરવિંદ નિર્મળ દ્વારા) અમરેલી તા. ૧૮ : અમરેલી જિલ્લા પુરબીયા રાજપૂત સમાજ તરફથી વિજયાદશમીના દિવસે શસ્ત્રપૂજનનું આયોજન કરવામાં આવેલ. આ કાર્યક્રમમાં જ્ઞાતિના વડિલો યુવાનો બહોળી સંખ્યામાં હાજર રહ્યા હતા.

વિજયાદશમીને રાજપૂત ક્ષત્રિય સમાજ એક મહોત્સવ-તહેવાર તરીકે ઉજવે છે.તે મુજબ વંશપરંપરાગત રીતે તેની ઉજવણી કરવામાં આવેલ અને શસ્ત્રોનું પુજન કરવામાં આવેલ તે ઉપરાંત જ્ઞાતિના તમામ યુવાનો-વડિલો દ્વારા એક રેલીનું આયોજન કરવામાં આવેલ હતું જે રેલી અમરેલી શહેરના રાજમાર્ગો પર થઇને લાઠી રોડ પર આવેલ.વીર હમિરસીંહની પ્રતિમાને હાર પહેરાવી જયમાં ભવાનીના નારા સાથે શ્રદ્ધાંજલી અપર્ણ કરવમાં આવેલ.

સફળ બનાવવા જ્ઞાતિના પ્રમુખ હિતેન્દ્રસિંહ પલવાર ઉપપ્રમુખ મહાવીરસિંહ બસન, પ્રણવસિંહ સિસોદીયા તેમજ મંત્રી આનંદસિંહ પરમાર તથા યુવરાજસિંહ પલવારે અને જ્ઞાતિના તમામ યુવાનોએ ભારે જહેમત ઉઠાવેલ તેમ મંત્રીની યાદીમાં જણાવ્યું છે. 

(1:10 pm IST)