Gujarati News

Gujarati News

News of Monday, 18th October 2021

કેન્દ્રિય શિપિંગ મંત્રી સર્બાનંદ સોનોવાલ આજથી ત્રણ દિ' કચ્છમાં : કંડલા, તુણા અને માંડવી બંદરે જશે

રાત્રે આયાત નિકાસકારો સાથે બેઠક, આવતીકાલે કંડલા બંદરે વિકાસ કાર્યોનું ખાતમુહૂર્ત, પરમ દિ' માંડવી બંદરે

(વિનોદ ગાલા દ્વારા)ભુજ:::કેન્દ્રિય જહાજ, બંદરો અને જળમાર્ગના મંત્રીશ્રી સર્બાનંદ સોનોવાલ તા.૧૮/૧૦ થી ૨૦/૧૦ સુધીના કચ્છ જિલ્લાના પ્રવાસે છે.

તેઓ ૧૮મીએ દિનદયાળ પોર્ટ ટ્રસ્ટની કામગીરીથી વાકેફ થશે તેમજ સાંજે ૧૯ કલાકે સ્ટેક હોલ્ડર્સ સાથે મુલાકાત કરશે. ૧૯મીએ સવારે ૧૦.૩૦ કલાકે ઓઈલ હેન્ડલીંગની ક્ષમતા વધારવા અર્થે પાઈપલાઇન નેટવર્કિંગના કામનું તથા ઓઈલ જેટી નં.૮ ખાતે વિકાસના બાંધકામનું તથા કાર્ગો જેટીમાં સ્ટોરેજ ડોમ અને પાર્કિંગ પ્લાઝાના વિકાસનું ખાતમૂહૂર્ત કરશે. ૧૧.૨૫ કલાકે પ્રેસ મીડીયાને બ્રીફ કરશે. ૧૧.૫૫ કલાકે બંદર પરની વિવિધ સુવિધાઓનું નિરીક્ષણ તેમજ ૧૩.૧૫ કલાકે કાર્ગો જેટી નં.૧૬ની મુલાકાત, ૧૪.૧૫ કલાકે કંડલા ખાતે વીટીએમએસ સુવિધાનું નિરીક્ષણ કરશે. ૧૫.૪૦ કલાકે મીઠાના અગર ખાતે અગરિયાઓની મીઠા પકવાની સુવિધાઓ નિહાળશે. ૧૬.૧૦ કલાકે તુણા બંદર પર વિવિધ સુવિધાનું નિરીક્ષણ કરશે.

૨૦મીએ સવારે ૧૧.૩૦ કલાકે માંડવી મુકામે રાવલપીર લાઇટહાઉસનું ઉદઘાટન કરી ૧૨ કલાકે શ્યામજી કૃષ્ણવર્મા મેમોરિયલની મુલાકાત લેશે.

(2:12 pm IST)