Gujarati News

Gujarati News

News of Friday, 18th November 2022

લાલપુર-જામજોધપુર વિસ્‍તારમાં સ્‍વાર્થી પક્ષપલટુ નેતાથી મતદારો ખફા

જામજોધપુર તા.૧૮ : હાલ ગુજરાત વિધાનસભાની ચુંટણી જંગ ચરમસીમા પહોંચ્‍યો છે. ત્‍યારે રાજકીય પક્ષોમાં પક્ષપલટાને રાજકીય મોસમ ફુલીફાલી છે. ત્‍યારે વારંવાર સ્‍વાર્થ ખાતર અને આગામી તાલુકા જીલ્લા પંચાયતની ટીકીટની લાલસાએ ફરેલા ગ્રામ્‍યનેતાઓને મતદારોને તેમનું સ્‍થાન દેખાડી દેશે એવું ચર્ચાઇ રહેલ છે. ત્‍યારે આવા નેતાના ચોકકસ રીતે પક્ષ પ્રવેશથી અમુક નેતાઓનું કદ ઘટી જવાની ભીતીને લઇ આવતા રાજકીય પક્ષમાં પણ અસંતોષની લાગણી પ્રગટેલ છે. ત્‍યારે આ ચવાઇ ગયેલ કેસેટ જેવા સ્‍વાર્થી રાજકીય નેતા શું પક્ષને ફાયદો કરાવી શકશે.

(12:06 pm IST)