Gujarati News

Gujarati News

News of Friday, 18th November 2022

અમરેલી જિલ્લામાં ૪૯ ઉમેદવારો મેદાનમાં

(અરવિંદ નિર્મળ દ્વારા) અમરેલી તા. ૧૮ : અમરેલી જિલ્લામાં રાજુલા જાફરાબાદ વિધાનસભા બેઠક ઉપર અગાઉ બે ઉમેદવારી પત્રો પરત ખેંચાયા બાદ આજે ઉમેદવારી પત્ર પરત ખેંચવાના અંતિમ દિવસે વધુ ૧૦ ઉમેદવારી પત્રકો પરત ખેંચાતા હવે ચૂંટણીના મેદાનમાં કુલ ૪૯ ઉમેદવારો રહ્યા છે.

આજે ફોર્મ પરત ખેંચવાના અંતિમ દિવસે ૯૫ અમરેલી વિધાનસભામાં કિરણબેન શૈલેષભાઇ ઉકાણી, મકવાણા કાળુભાઇ નારણભાઇ, ૯૬ લાઠી વિધાનસભામાં ધાધલ ગોવિંદભાઇ નથુભાઇ, દેત્રોજા જયશ્રીબેન જયસુખભાઇ, ૯૭ કુંડલા વિધાનસભામાં વિશાલભાઇ પ્રવિણભાઇ રાદડીયા, કુરેશી ઇમરાનભાઇ ઇકબાલભાઇ, પ્રકાશભાઇ લાલજીભાઇ ગેડીયા, જ્‍યારે ૯૮ રાજુલા જાફરાબાદ વિધાનસભા બેઠકમાં સોલંકી દયાળભાઇ ધનજીભાઇ, ધીરૂભાઇ ગોવિંદભાઇ સાવલીયા, રવૈયા અમીતભાઇ હર્ષદભાઇનો સમાવેશ થાય છે. આમ ઉમેદવારી ફોર્મ પરત ખેંચવાની મુદત પુરી થતા હવે ચૂંટણી ચિત્ર સ્‍પષ્‍ટ બન્‍યું છે.

(1:29 pm IST)