Gujarati News

Gujarati News

News of Thursday, 19th January 2023

ગોંડલનુ દંપતિ ભેદી રીતે લાપતા:પરીવાર દ્વારા શોધખોળ:પોલીસ તપાસ શરુ:

ગોંડલના ભવનાથનગર મા રહેતુ દંપતિ રાજકોટ જવાનુ કહી ઘરે થી નિકળ્યા બાદ લાપતા થતા પોલીસ મા ગુમસુધા અંગે જાણ કરાઇ છે.

પ્રાપ્ત વિગતો મુજબ ભવનાથનગર મા રહેતા અને માંડવીચોક શાક માર્કેટ પાસે શ્રીનાથજી મસાલા નામે વ્યાપાર કરતા કમલેશભાઈ દેવગાણીયા નો પુત્ર ધવલ ઉ ૨૮ અને તેની પત્નિ મિતલ ગત બપોર ના ઘરે થી રાજકોટ જવા નુ કહી નિકળ્યા બાદ પરત નહી ફરતા તેની શોધખોળ કરી તેના પિતા કમલેશભાઈ એ આખરે સીટી પોલીસ મા જાણ કરી હતી.

ગઇકાલે મિતલ નો જન્મદિવસ હતો આ નિમીતે રાજકોટ ફરવા જવાનુ કહી દંપતિ ઘરે થી નિકળ્યુ હતુ.

કમલેશભાઈ ના જણાવ્યા ધવલ અને તેના પત્નિ ના મોબાઈલ ઘરે જ પડ્યા છે.તેનુ બાઇક પણ ઘરે હોય ભેદભરમ સર્જાયા છે.

ધવલ ના લગ્ન બે વર્ષ પહેલા અમરેલી ની મિતલ સાથે જ્ઞાતિ ના રિવાજ મુજબ થયા છે. માતાપિતા અને બહેન સાથે ના સંયુક્ત પરિવારમા રહે છે.

લાપતા બનેલા દંપતિ અંગે પોલીસે ગુમસુધા નોંધ સાથે તપાસ હાથ ધરી છે

(1:05 am IST)