Gujarati News

Gujarati News

News of Friday, 19th February 2021

કચ્છના ગાંધીધામમાં ઓવરબ્રિજ ઉપર લટકી ગયેલા ટ્રેલરે લોકોમાં ગભરાટ ફેલાવ્યો

(વિનોદ ગાલા દ્વારા) ભુજ::: હાઈ વે ઉપર બેદરકારીભર્યા  ડ્રાઈવિંગ ના કારણે અવારનવાર ગમખ્વાર માર્ગ અકસ્માત થતાં રહે છે. પરંતુ, તેમ છતાંયે વાહનચાલકો સુધારવાનું નામ લેતા નથી એ કડવું સત્ય છે. ગઇકાલે ગાંધીધામ મધ્યે ઓવરબ્રિજ ઉપરથી પસાર થઈ રહેલી ટ્રેલર ચાલકની બેદરકારીથી ટ્રેલર ઓવરબ્રિજ ઉપર ચડી જતાં વાહનચાલકો તેમ જ ઓવરબ્રિજ નીચે જતાં રસ્તા ઉપરથી પસાર થતા લોકોમાં ભારે ગભરાટ ફેલાયો હતો. જોકે, નસીબ જોગે ગમખ્વાર માર્ગ અકસ્માત ટળી ગયો હતો. પણ, બેદરકાીપૂર્વક ડ્રાઈવિંગ કરતાં વાહનચાલકો તેમ જ ટ્રાન્સપોર્ટ કંપનીઓ વિરૂદ્ધ આવા કિસ્સામાં આકરા પગલાં ભરવા જોઇએ. જેથી ડ્રાઈવિંગ મામલે ગંભીરતા આવે.

(9:49 am IST)