Gujarati News

Gujarati News

News of Friday, 19th February 2021

દિલ્હીના ધરણાને રાષ્ટ્રીય કરણી સેનાનું જાહેર સમર્થન

(ભરત દોશી દ્વારા) ઉપલેટા : ગૌમાતાને રાષ્ટ્રમાતાનો દરજ્જો આપવામા આવે અને ભારતીય સેનામા જાતિના નામથી રેજીમેંટો છે એવી રીતે સેનામાં આહીર રેજીમેંટની સ્થાપના કરવામા આવે તે માટે ૧૧ જાન્યુઆરી ૨૦૨૧ થી આહીર એકતા મંચ ગુજરાતના સ્થાપક આહીર અર્જુન આંબલિયા દિલ્લીના જંતર - મંતર ખાતે અનિશ્ચિત સમય સુધી ધરણા પર છે.ત્યારે એમની ટીમ દ્વારા અમદાવાદ ખાતે રાષ્ટ્રીય કરણી સેના ગુજરાતના અધ્યક્ષ રાજ શેખાવતજી સાથે મુલાકાત કરવામા આવી. જેમા રાષ્ટ્રહિતની માંગોમા રાષ્ટ્રીય કરણી સેનાએ જાહેર સમર્થન આપ્યુ છે. આ લડતને દરેક સમાજો, સંસ્થાઓ, સંપ્રદાયો, સંગઠનો જાહેર સમર્થન કરી રહ્યા છે ત્યારે આ લડત વિકરાળ સ્વરૂપના લેએ પહેલા સરકારશ્રીએ વિચારવુ જોઈએ તેવુ ટીમના સભ્યોએ જણાવ્યુ હતું.

(11:35 am IST)