Gujarati News

Gujarati News

News of Sunday, 19th March 2023

શ્રી ભુરખિયા હનુમાનજી મંદિર ખાતે મુંબઈ સ્થિત શ્રધ્ધાળુ પારેખ પરિવારનો ભવ્ય અન્નકુટ મહોત્સવ મનોરથ

દામનગર સુપ્રસિદ્ધ યાત્રાધામ શ્રી ભુરખિયા હનુમાનજી મંદિર ખાતે મુંબઈ સ્થિત શ્રધ્ધાળુ પારેખ પરિવાર નો ભવ્ય અન્નકુટ મહોત્સવ યોજાયો હતો

સુપ્રસિદ્ધ ભુરખિયા હનુમાનજી મંદિર ખાતે અન્નકુટ મહોત્સવ ના મનોરથી પારેખ પરેશભાઈ વનમાળીદાસ પરિવાર તરફ થી યોજાયેલ મહા અન્નકૂટ મહોત્સવ મનોરથ માં શ્રી ભુરખિયા હનુમાનજી મંદિર ટ્રસ્ટ ના સમગ્ર ટ્રસ્ટી મંડળ એવમ પૂજારી પરિવાર ઉપસ્થિતિ રહ્યા હતા,

 શ્રી ભુરખિયા હનુમાનજી મંદિરના પરમ ભક્ત શ્રધ્ધાળુ ભાવિક મુંબઈથી પરેશભાઈ વનમાળીદાસ પારેખ પરિવાર દ્વારા શ્રી ભુરખિયા દાદા ને મહા અન્નકૂટ મહોત્સવ મહાપ્રસાદના મનોરથી પરમ ભક્ત પારેખ સહિત મંદિર ટ્રસ્ટના ટ્રસ્ટી કર્મચારી સામાજિક સ્વૈચ્છિક સંસ્થાઓના અગ્રણી સહિત શ્રી ભુરખિયા હનુમાનજી ચેરીટેબલ ટ્રસ્ટ અને મંદિર ટ્રસ્ટના પ્રમુખ  દુષયનભાઈ પારેખ ટ્રસ્ટી સુધીરભાઈ પારેખ ટ્રસ્ટી જ્યેન્દ્રભાઈ પારેખ ટ્રસ્ટી લક્ષેયભાઈ પારેખ ટ્રસ્ટી  અમરશીભાઈ પરમાર ટ્રસ્ટી હિંમતભાઈ કટારીયા ટ્રસ્ટી હરજીભાઈ નારોલા ટ્રસ્ટી વજુભાઇ રૂપાધડા પૂજારી જીતુબાપુ નિમાવત સહિત સમગ્ર ટ્રસ્ટી એવમ પૂજારી પરિવાર સેવક સમુદાયની વિશાળ ઉપસ્થિતિમાં ભવ્યાતિભવ્ય અન્નકુટ મહા મહોત્સવ મનોરથ પુરા શ્રધ્ધાભાવ થી સંપન્ન થયો હતો.

(8:27 pm IST)