Gujarati News

Gujarati News

News of Friday, 19th April 2024

જામજોધપુરનાં ધનુડામાં કાલે રાત્રે પંકજ દવેનો હાસ્ય દરબાર

ભાવનગર,તા.૧૯ : ચીતલ (અમરેલી) ના હાસ્ય કલાકાર સાહીત્યકાર પંકજ દવેનો વનમેન શો કાર્યક્રમ તા.૨૦ રાત્રે ૯ કલાકે ધનુડા (જામનગર) ખાતે સત પુરણ ધામ આશ્રમમાં પૂ. નરેશભાઇ રાજ્યગુરૃના વ્યાસાસને ચાલતી શ્રીમદ્દ ભાગવત તત્વ બોધ સપ્તાહ પ્રસંગે પ્રેરણા સ્ત્રોત પૂ. સદ્દગુરૃ સાહેબ જયંતી રામબાપા યુ.કે.ના પૂ. રાજરાજેશ્વર ગુરૃજી, રાષ્ટ્ર વંદના મંચના સંસ્થાપક ડી.જી. વણઝારા વી.ની પ્રેરક ઉપસ્થિતીમાં રાખવામાં આવેલ છે.

પંકજ દવે'' સુરજ સોનેરી રાત રૃપેરી''  શીર્ષક તળે યોજાનાર હાસ્ય દરબારનો લાભ લેવા સોમાણી પરિવાર તેમજ જે ભગવાન સત્સંગ સાગર ફાઉન્ડેશન દ્વારા જાહેર નિમંત્રણ પાઠવ્યું છે.

(11:55 am IST)