Gujarati News

Gujarati News

News of Friday, 19th April 2024

મોરબી પાસે સીરામીકની ઓરડીમાં મજુર નરેન્‍દ્ર રાજપૂતનો ફાંસો ખાઇ આપઘાત

તળાવીયા સનાળા ગામે વાડીની ઓરડી ઉપરથી પડી જતા યુવતીનું મોત

(પ્રવિણ વ્‍યાસ દ્વારા) મોરબી તા. ૧૯ : મોરબીના લીલાપર કેનાલ રોડ ઉપર આવેલ મહર્ષિ ટેકસ ટાઇલ્‍સ નામના કારખાનાની લેબર કોલોનીની ઓરડીમાં રહેતા મજુર નરેન્‍દ્ર અત્તારસિંહ રાજપૂત (ઉ.વ.૨૬) રે. મૂળ મજરા કુટેરા (યુપી)એ ફાંસો ખાઇ આપઘાત કરી લીધો હતો. આપઘાતના કારણ અંગે મોરબી તાલુકા પોલીસે તપાસ હાથ ધરી છે. બીજા બનાવમાં મોરબી તાલુકાના તળાવિયા શનાળા ગામની સીમમાં કરશભાઇ ભગવાનભાઇની વાડીએ ખેતમજૂરી કરતા મૂળ મધ્‍યપ્રદેશના અલીરાજપુર જિલ્લાના વતની વિખલાભાઇ બામણીયાની પુત્રી સંગીતાબેન કામ કરવા માટે વાડીની ઓરડી ઉપર ચડી હતી ત્‍યારે ઓરડી ઉપરથી પડી જતા ગંભીર ઈજાઓ પહોંચવાથી મૃત્‍યુ નીપજયું હતું, બનાવ અંગે મોરબી તાલુકા પોલીસે અકસ્‍માતે મૃત્‍યુ અંગે નોંધ કરી તપાસ શરૂ કરી છે

(1:42 pm IST)