Gujarati News

Gujarati News

News of Wednesday, 19th May 2021

ભાવિકો માટે દ્વારકાધીશ જગત મંદિર ર૧મી મે સુધી બંધ રહેશે

કોરોના મહામારીને લીધે પ્રવેશબંધીની મર્યાદા વધરાઇ

(વિનુભાઇ સામાણી દ્વારા) દ્વારકા તા.૧૯ : કોરોના મહામારીની વર્તમાન પરિસ્થિતિને લીધે દ્વારકાધીશ જગતમંદિર ભાવિકો માટે બંધ હોય જેની મુદતમાં વધારો કરાયો છે અને હવે આગામી ર૧મી મે સુધી જગતમંદિરમાં ભાવિકોનો પ્રવેશ બંધ જાળવી રખાયો છે આ સમય દરમ્યાન જગતમંદિરમાં વારાદાર પુજારી પરિવાર દ્વારા પારંપરિક રીતે ઠાકોરજીનો નિત્યક્રમ જાળવી રખાશે. ભાવિકો માટે દર્શનનો ઓનલાઇન લાભ લેવા માટે જગતમંદિરની ઓફીશીયલ વેબસાઇટ www.dwarkadhish.org પરથી મંદિરના સમય દરમ્યાન લાઇવ નિહાળી શકાશે તેમ જગતમંદિરના વહીવટદાર તેમજ દ્વારકા પ્રાંત અધિકારીની યાદીમાં જણાવાયું છે.

(11:31 am IST)