Gujarati News

Gujarati News

News of Saturday, 19th June 2021

જામનગર યૌન શોષણમાં આકરી કાર્યવાહીની મહિલા અગ્રણીઓની માંગ

વિશ્વ હિન્દુ પરિષદ મહિલા વિભાગ, માતૃ શકિત, દુર્ગાવાહિનીના મહિલા આગેવાનો દ્વારા આવેદન

(મુકુંદ બદિયાણી દ્વારા) જામનગર,તા. ૧૯: જામનગરમાં જી.જી.હોસ્પિટલના કોવિડ વિભાગમાં યૌન શોષણના આક્ષેપો બાદ વિશ્વ હિન્દુ પરિષદના મહિલા વિભાગ, માતૃ શકિત અને દુર્ગા વાહીનીના મહિલા અગ્રણીઓએ કલેકટર કચેરીએ વડાપ્રધાન અને મુખ્યમંત્રીને સંબોધીને આવેદનપત્ર પાઠવી તાત્કાલિક નિષ્પક્ષ તપાસ માટેની માંગણી કરવામાં આવી છે.

સાથે સાથે મહિલાઓએ આજના જમાનામાં નોકરી અર્થે બહાર નીકળતા આ પ્રકારના દૂષણનો ભોગ બને છે તે બનતું અટકાવવા માટે જવાબદારો સામે આકરામાં આકરી કાર્યવાહી કરી દાખલો બેસાડવા પણ માગણી કરાઈ છે.

આ આવેદનપત્ર પાઠવતી વેળાએ વિશ્વ હિન્દુ પરિષદ મહિલા વિભાગના સંયોજિકા નિમિષાબેન ત્રિવેદી, હિનાબેન અગ્રાવત, દુર્ગાવાહીનીના સંયોજિકા કૃપાબેન લાલ, આરતીબેન ઠાકુર, મયુરીબેન લાખાણી, સ્વરૃપાબા જાડેજા, મંજુબેન ઠાકુર સહિતના અગ્રણીઓ જોડાયા હતા.(તસવીર :કિંજલ કારસરીયા, જામનગર)

(1:34 pm IST)