Gujarati News

Gujarati News

News of Wednesday, 19th August 2020

કોડીનારની પરિણિતાને જુનાગઢના સાસરીયાઓની મારમારી જાનથી મારી નાખવાની ધમકી

કોડીનાર, તા. ૧૯ : કોડીનારની પરિણિતાને જૂનાગઢ સ્થિત સાસરિયાઓએ કરીયાવર બાબતે મેણાટોણા મારી માર મારી જાનથી મારી નાખવાની ધમકી આપ્યાની ફરીયાદ કોડીનાર પોલીસ સ્ટેશનમાં નોંધાઇ છે. આ અંગે રીમ્પલબેન વિશાલકુમાર ભાયાણીએ નોંધાવેલી ફરીયાદમાં જણાવ્યા મુજબ રીમ્પલબેનના લગ્ન ગત તા. ૮-૧-૧૯ના રોજ જૂનાગઢના વિશાલકુમાર રાજેશ ભાયાણી સાથે થયા હતાં. લગ્નના બીજા જ દિવસથી પતિ, સાસુ, સસરા અને નણંદે મેણાટોણા મારવાનું શરૂ કરી સાસરીયાઓએ પતિને ચડામણી કરતા પતિ વિશાલકુમાર મારકુટ કરી તું ભીખારીની દીકરી છે. કરીયાવર ઓછું લાવી છે તેમ કહી અપમાનિત કરી વારંવાર પતિ, સાસુ, સસરા, નણંદ ગાળો બોલી ઢીકાપાટુનો માર મારી જાનથી મારી નાખવાની ધમકી આપી બીમારીમાં પણ સારવાર ના કરાવી તાંત્રીક પાસે દોરા ધાગા કરાવી પાણી અને તાવીજ દોરા પહેરાવતા હોવાનું જણાવી પતિ વિશાલકુમાર રાજેશ ભાયાણી રહે. તમામ જુનાગઢ વિરૂદ્ધ ફરીયાદ નોંધાવતા કોડીનાર પોલીસે ૪૯૮(ક), ૩ર૪,પ૦૪, પ૦૬(ર) ૧૧૪ કલમ મુજબ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

(11:59 am IST)