Gujarati News

Gujarati News

News of Wednesday, 19th August 2020

જૈનાચાર્ય પૂ. રાજયશસૂરીશ્વરજી મ.સા.ના ૭૫મા જન્મજયંતી વર્ષ નિમિત્ત યોજાયેલ વિશ્વ 'અહિંસા' નિબંધ સ્પર્ધાનું પરિણામ જાહેર

એક લાખથી વધુ ઈનામી રાશિની આ નિબંધ સ્પર્ધામાં કુલ ૧૦૮ વિજેતા સ્પર્ધકો જાહેર કરવામાં આવ્યા છે

રાજકોટ,તા. ૧૯: શ્રી પાર્શ્વનાથ-પદ્માવતી સમારાધક, શ્રી લબ્ધિ-વિક્ર્મ ગુરુકૃપાપ્રાપ્ત, અનેક પ્રાચીન તીર્થોધ્ધારક-પ્રતિષ્ઠાચાર્ય, પ્રખર પ્રવચનકાર જૈનાચાર્ય પૂ. આ.દેવ શ્રીમદ્ વિજય રાજયશસૂરીશ્વરજી મહારાજ સાહેબના ૭૫મા જન્મજયંતી વર્ષની 'અહિંસા અમૃત વર્ષ' તરીકે સમસ્ત જૈન સમાજ દ્વારા વિશ્વભરમાં ઉજવણીરૂપે જીવન નિર્માણના સંસ્કારી મૂલ્યો નવી પેઢી સુધી પહોંચે તે માટે વિવિધ પ્રેરક કાર્યક્ર્મોનું આયોજન થયું છે.

આ અંતર્ગત અહિંસા, ભ્રૂણહત્યા વિરોધ, શાકાહાર, પશુબલિ નિવારણ વિષયો પર ગુજરાતીમાં વિશ્વ 'અહિંસા' નિબંધ સ્પર્ધાનું આયોજન શ્નઅખિલ ભારતીય અહિંસા અમૃત વર્ષ સમિતિલૃદ્વારા કરાયું હતું. વિશ્વસ્તરની આ પ્રેરક નિબંધ સ્પર્ધાને વ્યાપક પ્રતિસાદ મળતા, સર્વધર્મ (જૈન ઉપરાંત હિંદુ, મુસ્લિમ, શીખ, ઈસાઈ સહિત)નાં ૧૫૦૦થી વધુ ભાવિકો તરફથી નિબંધ પ્રાપ્ત થયા છે. ગુજરાતનાં છેવાડાનાં ૨૦૦થી વધુ ગામડાંથી લઈને ગુજરાતની બહાર મહાનગરો મુંબઈ, દિલ્હી, ચૈનઈ, બેંગલુરૂ, હૈદરાબાદ, પુણેથી ભાવિકોએ આ નિબંધ સ્પર્ધામાં ભાગ લીધો છે. ૧૦૦ જેટલી શાળા-કોલેજનાં ૫૦૦ જેટલાં વિદ્યાર્થી ભાઈઓ-બહેનોએ પણ હોંશભેર ભાગ લીધો છે. ઙ્ગ

 વિશ્વ 'અહિંસા' નિબંધ સ્પર્ધાનાં પરિણામની ઘોષણા ૭૪મા સ્વાતંત્ર્ય દિન તથા પર્વાધિરાજ પર્યુષણનાં પાવન અવસરે થાય છે. ઙ્ગપ્રથમ (રૂ. ૨૧૦૦૦) : ડો. જયંતીલાલ ઉમરેઠિયા (વડોદરા), દ્વિતીય (રૂ. ૧૫૦૦૦) : ડો. બોસ્કી અમીન મોરબીયા (મુંબઈ), તૃતીય (રૂ. ૧૧૦૦૦): ઝલક મિસ્ત્રી (ગાંધીનગર), ૫ વિશેષ પ્રોત્સાહન (દરેકને રૂ. ૧૦૦૦):ડો. દીક્ષા સાવલા (હિંમતનગર), ગિરિમા ઘારેખાન (અમદાવાદ), જિજ્ઞાસુ દક્ષિણી (અમદાવાદ), મનિષ ભલાળા (રાજકોટ), યોગેશ ભટ્ટ (અમરેલી), ૧૦૦ પ્રોત્સાહન (દરેકને રૂ. ૫૦૦) સમેત એક લાખથી વધુ ઈનામી રાશિની આ નિબંધ સ્પર્ધામાં કુલ ૧૦૮ વિજેતા સ્પર્ધકો જાહેર કરવામાં આવ્યા છે. શાળામાં અભ્યાસ કરતાં ૨૨ વિદ્યાર્થી ભાઈઓ–બહેનો પણ પસંદગી પામ્યા છે.

જિનશાસનના ગૌરવ સમા, બાલદીક્ષિતા, પરમ વાત્સલ્યમયી, શાસનસેવિકા પૂ.સા.વર્યા પ્રવર્તિની વાચંયમાશ્રીજી મ.સા. (પૂ. બેન મ.સા.) આ નિબંધ સ્પર્ધાનાં પ્રેરિકા છે. એક લાખથી વધુ પુરસ્કાર રાશિનું સૌજન્ય જૈનાચાર્ય પૂ. રાજયશસૂરીશ્વરજી મ.સા. સંસ્થાપિત International Ahimsa Organizationનાં છે. સંયોજક તરીકે રાષ્ટ્રીય શાયર ઝવેરચંદ મેઘાણીના પૌત્ર પિનાકી નાનકભાઈ મેઘાણી (મો. ૯૮૨૫૦૨૧૨૭૯) સ્થાપિત ઝવેરચંદ મેદ્યાણી સ્મૃતિ સંસ્થાન છે.

જૈનાચાર્ય પૂ. આ.દેવ શ્રીમદ્ વિજય રાજયશસૂરીશ્વરજી મ.સા. અને પૂ.સા.વર્યા પ્રવર્તિની વાચંયમાશ્રીજી મ.સા. (પૂ. બેન મ.સા.) મુંબઈ–મુલંડ સ્થિત શ્રી સર્વોદય પાર્શ્વનાથ જૈન સંઘ ખાતે બિરાજમાન છે.

આલેખનઃ પિનાકી નાનકભાઈ મેઘાણી,

ઝવેરચંદ મેઘાણી સ્મૃતિ સંસ્થાન (મો.૯૮૨૫૦ ૨૧૨૭૯)

(12:05 pm IST)