Gujarati News

Gujarati News

News of Wednesday, 19th August 2020

વેરાવળના હિરણકાઠા વિસ્તારના લોકોને સાવચેત કરતી એનડીઆરએફની ટીમ

ગીર સોમનાથ : રાજયભરની સાથે ગીર સોમનાથ જિલ્લામાં ભારે વરસાદ વરસતા એનડીઆરએફની ટીમ દ્વારા સાવચેતી અને બચાવ કામગીરી કરાઇ હતી. વેરાવળના હિરણકાંઠા વિસ્તાર, ત્રિવેણી સંગમ, સોનારીયા અને મંડોર, સવની સહિતના ગામના એનડીઆરએફની ટીમ દ્વારા પુરની સ્થિતિમાં સાવચેત કરવા અને બચાવ કામગીરી માટે લોકોને વાકેફ કરાયા હતા. કુદરતી આફતના સમયે સૌપ્રથમ બચાવ કામગીરી કરી માનવ જીંદગી કઇ રીતે બચાવવી તે માટે જરૂરી માહિતી આપી હતી. એનડીઆરએફના ૨૫ સભ્યોની ટીમ દ્વારા બચાવ કામગીરી માટે કાર્યરત છે. આ કામગીરીમાં મામલતદારશ્રી ચાંદેગરા સહભાગી થયા હતા તે પ્રસંગની તસ્વીર.(તસ્વીર : દેવાભાઇ રાઠોડ)

(12:10 pm IST)