Gujarati News

Gujarati News

News of Monday, 19th September 2022

વાંકાનેરની જીવાદોરી સમાન મચ્‍છુ ડેમ-૧ ઓવરફલો થતા રાજ પરિવારના શ્રી કેશરીદેવસિંહજી ઝાલા હસ્‍તે નવા નીરનાં વધામણા

ડેમની બાજુમાં આવેલ હોલમાતાજી મંદિરે દર્શનનો લાભ લીધો

(નિલેશ ચંદારાણા દ્વારા) વાંકાનેરઃ તા.૧૯: વાંકાનેર પાસેનો મચ્‍છુ ડેમ-૧ તાજેતરમાં ઓવરફલો થતા વાંકાનેરના રાજ પરિવારના મહારાણા શ્રી કેશરીદેવસિંહજી ઝાલા તથા અન્‍ય આગેવાનો દ્વારા આજરોજ નવા નિરના વધામણા કરવા મચ્‍છુ ડેમ-૧ ખાતે પહોંચ્‍યા હતા.

ડેમ ખાતે વિવિધ આગેવાનોની ઉપસ્‍થિતીમાં રાજ પરિવાર દ્વારા શ્રીફળ, ચુંદળી તથા પુષ્‍પોથી નવા નિરના વધામણા કરવામાં આવેલ હતા. ઉપરોકત ડેમ પણ અગાઉ ૧૯૭૪ની સાલમાં પણ રાજવી પરિવાર શ્રી અમરસિંહજી બાપુ દ્વારા આ ડેમ બંધાવવામાં આવેલ છે. અગાઉ અનેક આફતો આવેલ પણ બાપુસાહેબે બંધાવેલ ડેમ આજે પણ અડીખમ છે.

ત્‍યારબાદ ડેમની બાજુમાં આવેલ પ્રસિધ્‍ધ હોલ માતાજીનું વર્ષો પુરાણુ મંદિર આવેલુ છે ત્‍યાં શ્રી કેશરીદેવસિંહ ઝાલા તથા અન્‍ય આગેવાનોએ દર્શનનો લાભ લીધેલ હતો.

(10:17 am IST)