Gujarati News

Gujarati News

News of Monday, 19th September 2022

કિશોરભાઇ અંદીપરા નવા પ્રમુખ : ઢોલનું બે દશકાથી વધુ સમયનું સામ્રાજ્‍ય તુટયુ

ગોંડલ માર્કેટ યાર્ડ નાગરીક બેંક બાદ જયંતિભાઇ ઢોલની વધુ એક પીછેહઠ : કડવા પાટીદાર સમાજના પ્રમુખ પદેથી હટાવાયા

(જીતેન્‍દ્ર આચાર્ય દ્વારા) ગોંડલ તા.૧૯: ગોંડલનુ રાજકારણ ક્‍યારેય સ્‍થિર રહ્યુ નથી.ગોંડલનુ રાજકીય હવામાન ગમે ત્‍યારે પલટાયેલું બની રહ્યુ છે.એક સમયે ગોંડલના રાજકારણમાં દિગ્‍ગજ ગણાતા જયંતિભાઈ ઢોલ છેલ્લા કેટલાક સમય થી સતત હાંસીયામાં ધકેલાઇ રહ્યા હોય તેમ પ્રથમ માર્કેટ યાર્ડ અને બાદમા નાગરીક સહકારી બેંકમા ચેરમેન પદે થી નાટકીય ઢબે પીછેહટ થયા બાદ ગોંડલ ની રાજનીતિ માં નિર્ણાયક પરીબળ ગણાતા કડવા પાટીદાર સમાજના પ્રમુખ પદેથી પણ દુર થયા છે.

શનીવારના કડવા પાટીદાર સમાજની મળેલી બેઠકમા જુની કારોબારી વિખેરાઈ હતી અને નવી કારોબારીની રચના સાથે કિશોરભાઈ અંદીપરાનીᅠ પ્રમુખ પદે વરણી કરાઇ હતી.કડવા પાટીદાર સમાજના ટ્રસ્‍ટીઓ અને સમાજ શ્રેષ્ઠીઓની હાજરીમાં આ નિર્ણય લેવાયો હતો.

ઉલ્લેખનીય છે કે જયંતિભાઈ ઢોલ બે દશકા થી વધુ સમય થી કડવા પાટીદાર સમાજ ના પ્રમુખ હતા. બે દશકા થી કડવા પાટીદાર સમાજ ના સર્વેસર્વા રહેલા ઢોલ સાથે ‘નાતો ઘરના કે નાતો ઘાટના' જેવો તાલ સર્જાવા પામ્‍યો છે. નજદીક આવી રહેલી વિધાનસભાની ચુંટણી પુર્વે આ પરિવર્તન મહત્‍વનુ ગણાઇ રહ્યુ છે.

(12:01 pm IST)