Gujarati News

Gujarati News

News of Monday, 19th September 2022

કચ્‍છ ભાજપ દ્વારા અનેકવિધ સેવાકાર્યો દ્વારા વડાપ્રધાન નરેન્‍દ્રભાઇના જન્‍મદિવસની ઉજવણી

(વિનોદ ગાલા દ્વારા)ભુજ તા.૧૯: વડાપ્રધાન નરેન્‍દ્રભાઇ મોદીના જન્‍મ દિવસ નિમિતે કચ્‍છ જિલ્લા ભાજપ અધ્‍યક્ષ કેશુભાઈ પટેલના નેતૃત્‍વ હેઠળ જિલ્લાના તમામ ૧૩ મંડલો ખાતે વિવિધ પ્રકારની સેવાકીય પ્રવૃતિઓ હાથ ધરાઈ હતી. નરેન્‍દ્રભાઈએ દૃષ્ટાંતરૂપ નેતૃત્‍વ દ્વારા ભારતને વિશ્વ ફલક પર ગૌરવવંતુ સ્‍થાન પ્રદાન કર્યું છે તેમજ દેશના ખુણે ખુણે વસતા નાગરીકોના હૈયામાં સેવા અને રાષ્ટ્રવાદના સમન્‍વય સાથે દેશ માટે કઈક કરી છૂટવાની ભાવના પ્રજવલિત કરી છે. ત્‍યારે એમના જન્‍મ દિનની ઉજવણી સેવા, સત્‍કાર્યો અને સદ્‌પ્રવૃતિઓથી ભરપૂર હોય એ સહજ બાબત છે.

ભુજ શહેર ભાજપ સંગઠન દ્વારા વિવિધ સેવા વસ્‍તીમાં અલ્‍પાહાર અને ફ્રુટ વિતરણ કરવામાં આવેલ હતું તથા મહિલા કલ્‍યાણકેન્‍દ્રમાં મીઠાઈ તથા ફરસાણનું વિતરણ પણ કરવામાં આવ્‍યું હતું. આ ઉપરાંત સાંસદ વિનોદભાઈ ચાવડા દ્વારા સ્‍મૃતિવન ખાતે ૭૨૦૦ રોપાઓનું વૃક્ષારોપણ કરવામાં આવ્‍યું હતું તેમજ પ્રધાનમંત્રી લાભાર્થી કલ્‍યાણ મેળાનું આયોજન અને સાથો સાથ દિવ્‍યાંગોને સહાયક સાધનોનું વિતરણ પણ કરવામાં આવ્‍યું હતું.

અન્‍ય એક વિશેષ કાર્યક્રમના ભાગરૂપે ભીમાભાઈ હમીરભાઇ હુંબલ ચેરીટેબલ ટ્રસ્‍ટના માધ્‍યમથી ઉદ્યોગપતિ બાબુભાઈ ભીમાભાઈ હુંબલના મુખ્‍ય દાતાપદે અંજાર શહેર તાલુકા ભાજપના સહયોગથી સર્વ રોગ નિદાન કેમ્‍પ યોજવામાં આવ્‍યો હતો જેમાં તે નિષ્‍ણાંત તબીબોની ટીમ દ્વારા એક હજારથી વધુ લોકોને તપાસીને સ્‍થળ પર જ જરૂરી દવાઓ ઉપલબ્‍ધ કરાવાઈ હતી. આ મેડીકલ કેમ્‍પમાં જિલ્લા ભાજપ અધ્‍યક્ષ કેશુભાઈ પટેલ, અંજાર ધારાસભ્‍ય વાસણભાઈ આહિર, જિલ્લા મુજપ મહામંત્રી વલ્લમજીમાઇ ખલ, ઉપપ્રમુખ ત્રિક્‍મભાઇ છાંગા, ભરતભાઈ શાહ, મંત્રી વસંતભાઈ કોડરાણી સહિતના આગેવાનો ઉપસ્‍થિત રહયા હતા.

આ પ્રદર્શનના માધ્‍યમથી ગુજરાતના મુખ્‍યમંત્રી કાળથી નરેન્‍દ્રભાઈની કચ્‍છ જિલ્લાની મુલાકાતો અને કચ્‍છ સાથેની અવિસ્‍મરણીય સ્‍મૃતિઓને તાજી કરી હોવાનું કચ્‍છ જિલ્લા ભાજપ મીડીયા ઈન્‍ચાર્જ સાત્‍યકિદાન ગઢવીની યાદીમાં જણાવાયું હતું

(12:03 pm IST)