Gujarati News

Gujarati News

News of Thursday, 19th November 2020

અકસ્માતમાં લખતરના પ્રજાપતિ કુંભાર માતા-પતિ-પત્નિ અને પુત્રીના મોત : પુત્ર ગંભીર

સુરેન્દ્રનગરના કોઠારીયા પાસે ગઇ કાલે બનેલી ઘટના ડ્રાઇવરને ઝોકુ આવી જતા કાર વૃક્ષ સાથે ધડાકાભેર અથડાઇ : ભગુડા મોગલધામના દર્શન કરીને પરત ફરતી વખતે દુર્ઘટનાઃ એક જ પરિવારના ૪ની એક સાથે અર્થી ઉઠતા ગામ હિબકે ચડ્યું

(ફઝલ ચૌહાણ દ્વારા) વઢવાણ,તા. ૧૯: સુરેન્દ્રનગરના લખતર રોડ ઉપર કોઠારીયાના પાટીયા નજીક કાર ચાલકને ઝોકું આવી જતાં સર્જાયેલ અકસ્માતમાં લખતરના કુંભાર-પ્રજાપતિ પરિવારના ૪ના મોત થયા છે. જયારે એક વ્યકિતને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડેલ છે.

માહિતી મુજબ લખતરના ઉગમણા દરવાજા બહાર રહેતા કુંભાર પ્રજાપતિ પરિવારના એક જ ઘરના પાંચ સભ્યો ભગુડા મોગલધામ દર્શન કરીને પરત ફરી રહ્યા હતાં ત્યારે કારચાલકને ઝોડુ આવી જતાં કાર ધડાકાભેર વૃક્ષ સાથે અથડાઇ હતી. જેમાં ૪ વ્યકિતના દ્યટના સ્થળે મોત થયા હતાં. જયારે એકને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડેલ છે.

આ અકસ્માતમાં લલીતાબેન બાબુભાઇ લખતરીયા (ઉ.વ.૬પ), નવીનભાઇ બાબુભાઇ લખતરીયા (ઉ.વ. ૪૫), વર્ષાબેન નવીનભાઇ લખતરીયા (ઉ.વ. ૪૩) અને જાનુબેન નવીનભાઇ લખતરીયા (ઉ.વ. ૧૭)ના ઘટના સ્થળે મોત થયા હતાં જયારે રવિભાઇ નવીનભાઇ લખતરીયા (ઉ.વ.રર)ને ગંભીર હાલતમાં સારવાર માટે હોસ્પિટલમાં ખસેડેલ છે.

આ અકસ્માતમાં કારમાં મૃતદેહ ફસાઇ જતાં કારના પતરા ચીરીને મૃતદેહોને બહાર કાઢીને વઢવાણ-સુરેન્દ્રનગર પોસ્ટમોર્ટમ માટે ખસેડાયા હતાં. આ બનાવ અંગે વધુ તપાસ વઢવાણ-પોલીસ મથકના પી.એસ.આઈ અધિકારીશ્રી ચુડાસમા તપાસ ચલાવી રહ્યા છે.

દિવાળી પર્વમાં અકસ્માતમાં એક જ પરિવારના ૪ વ્યકિતના મોતથી પ્રજાપતિ સમાજમાં અરેરાટી વ્યાપી ગઇ છે.

ત્યારે એક જ પરિવારના ચાર લોકોના મોત નિપજતા હાલમાં સુરેન્દ્રનગર જિલ્લાના લખતર પંથકમાં અરેરાટી વ્યાપી જવા પામી છે અને પ્રજાપતિ સમાજમાં પણ શોકની લાગણી વ્યાપી જવા પામી છે ત્યારે હાલમાં જે ઝેન કાર ટોટલ લોસ થઈ જવા પામી છે ત્યારે જે ઇજાગ્રસ્ત એક વ્યકિત છે તેને તાત્કાલિક તેને સારવાર અર્થે સુરેન્દ્રનગર જિલ્લાની મેડિકલ કોલેજમાં ખસેડવામાં આવ્યા છે.

સુરેન્દ્રનગર જિલ્લાના રોડ રસ્તા ગોઝારા બની જવા પામ્યા છે ત્યારે દર દિવાળીના સમયગાળામાં સુરેન્દ્રનગર કોઠારીયા લખતર હાઇવે ઉપર અકસ્માત સર્જાય છે ત્યારે આગલા વર્ષે પણ દિવાળીના સમયગાળામાં એસ.ટી.બસ સાથે કાર અથડાતા વઢવાણના ત્રણ લોકોના મોત નિપજયા હતા ત્યારે આ વર્ષે પણ સુરેન્દ્રનગર જિલ્લાના વઢવાણ કોઠારીયા રોડ ઉપર અકસ્માતમાં એક જ પરિવારના ચાર લોકોના મોત નિપજતા અરેરાટી વ્યાપી જવા પામી છે ત્યારે કાલે વહેલી સવારે કોઠારીયા થી આગળ રામ પેપર મીલ પાસે લખતરના પ્રજાપતિ સમાજ ના એક જ પરિવારને અકસ્માત નડયો હતો જયારે આ અકસ્માતમાં ચાર લોકોના ઘટનાસ્થળે જ મોત નિપજયા હતા ત્યારે ડ્રાઇવર દ્વારા સ્ટેરીંગ ઉપર કાબુ ગુમાવતા કાર લીમડાના ઝાડ સાથે અથડાતા ઘટનાસ્થળે ચાર લોકોના મોત નીપજયા હતા.

લખતરના ઉગમણા દરવાજા બહાર રહેતા કુંભાર પ્રજાપતિ પરિવારના એક જ ઘરના ચાર લોકોના મોત થતાં મોડી સાંજે તેમની અંતિમ ક્રિયા કરવામાં આવી હતી. ત્યારે એક જ પરિવારના ચાર સભ્યોની અર્થી એક સાથે ઉઠતા સમગ્ર લખતર પંથકમાં શોકની લાગણી વ્યાપી જવા પામી હતી અને લખતર ગામ હીબકે ચડવા પામ્યું હતું.

વહેલી સવારે ચાર વાગ્યે હોટલમાં તમામ લોકોએ નાસ્તો કર્યો હતો

સુરેન્દ્રનગર જિલ્લાના કોઠારીયા લખતર રોડ ઉપર આજે વહેલી સવારે અકસ્માત સર્જાવા પામ્યો હતો ત્યારે આ ગોઝારા અકસ્માતમાં દ્યટનાસ્થળે ચાર વ્યકિતના મોત નિપજયા હતા ત્યારે આ ચાર વ્યકિત ની ઓળખ કરવામાં આવતા આ સુરેન્દ્રનગર જિલ્લાના લખતર તાલુકા ના પ્રજાપતિ સમાજના હોવાનું બહાર આવવા પામ્યું હતું ત્યારે એક સાથે ચાર લોકોના દ્યટના સ્થળે મોત નિપજતા સમગ્ર પંથકમાં હાહાકાર મચી જવા પામ્યો હતો.

ત્યારે વઢવાણ તરફથી લખતર તરફ જતી મારુતિ સુઝુકીની જેન કારમાં પાંચ વ્યકિત સવાર હતા તેમને વહેલી સવારે ચાર વાગ્યે વઢવાણ ગેબનસા પીર પાસે આવેલી હોટલમાં નાસ્તો કર્યો હતો ત્યારબાદ લખતર તરફ જવા ઉપડ્યા હતા ત્યારે કોઠારીયા નજીક ડ્રાઇવિંગ કરનાર ડ્રાઈવરને જોકુ આવી જતા ડ્રાઈવર દ્વારા સ્ટેરીંગ ઉપર કાબુ ગુમાવ્યો હતો અને સામે આવેલ લીમડાના ઝાડ સાથે ગાડીને અથડાવી હતી.

(11:03 am IST)