Gujarati News

Gujarati News

News of Thursday, 19th November 2020

હળવદમાં દિવાળી પર્વમાં રાહત દરે મિઠાઈ-ફરસાણનું વિતરણ

હળવદઃ શ્રી નરનારાયણ યુવક મંડળ શ્રી સ્વામિનારાયણ મંદિર જવાહર ચોક, સુરેન્દ્રનગર દ્વારા બનાવેલ મીઠાઈ અને ફરસાણ રોટરી કલબ દ્વારા હળવદના દરેક વર્ગના નગરજનો અને તાલુકાના લોકોને આ મોંઘવારીના સમયમાં રાહત મળે એવા હેતુથી બનાવવામાં આવી હતી. વિવિધ ૧૦ પ્રકારની ૬૦ રૂપિયાથી ૨૩૦ રૂપિયાના ભાવના પાંચસો ગ્રામના ૨૩૦૦ બોકસ મીઠાઈનું વેચાણ આર.સી.સી. સિનીયર સીટીઝન કલબ ઓફ હળવદના સભ્યો દ્વારા ૨ દિવસ ખડેપગે ઉભા રહીને કરવામાં આવ્યુ હતું. (તસ્વીર-અહેવાલઃ દિપક જાની-હળવદ)

(11:44 am IST)