Gujarati News

Gujarati News

News of Thursday, 19th November 2020

ભાવનગરમાં દાઉદી વ્હોરા સમાજના મહાન ઓલિયા મુલ્લા લુકમાનજી કરીમજી સાહેબના ઉર્ષની ઉજવણી

(હુસામુદ્દીન કપાસી દ્વારા) જસદણ, તા. ૧૯ :. ભાવનગરમાં વિશ્વભરના દાઉદી વ્હોરા સમાજના મહાન ઓલિયા મુલ્લા લુકમાનજી કરીમજી સાહેબનો ઉર્ષ મુબારક યોજાયો હતો. વ્હોરા સમાજના સ્થાનિક સભ્યો દ્વારા ગુજરાત સરકારની ગાઈડલાઈન અનુસરીને પુષ્પાંજલિ અને કુરાન પઠન કરવામાં આવેલ હતું.

સ્થાનિક સામાજિક આગેવાન ઈસ્માઈલભાઈ ટીનવાળા (મો. ૯૩૨૮૦ ૩૫૨૫૨)એ જણાવ્યું કે કરીમજી સાહેબે આજીવન અલ્લાહની બંદગી અને લોકોની સેવા કાજે પોતાનુ જીવન અર્પણ કર્યુ હતુ. વર્ષો પછી પણ આ મજાર પર અનેક મન્નત પૂર્ણ થઈ લોકોને સુખાકારી મળી રહી છે.  આ વર્ષે કોરોના મહામારીના પગલે સરકારના તમામ નિયમોનું પાલન કરી મનાવવામાં આવ્યો હતો. અત્રે નોંધનીય છે કે છેલ્લે ભાવનગર મસ્જિદનું ઉદ્ઘાટન કરવા સમાજના પ્રખર માનવતાવાદી ત્રેપનમાં દાઈ (સર્વોચ્ચ ધર્મગુરૂ) નામદાર ડો. સૈયદના અબુ જાફરૂસ્સાદિક આલિકદર મુફદલ સૈફુદ્દીન સાહેબ (ત.ઉ.શ.) આવેલ હતા ત્યારે તેમણે પણ લુકમાનજી સાહેબને ગર્વભેર યાદ કર્યા હતા.

(11:54 am IST)