Gujarati News

Gujarati News

News of Thursday, 19th November 2020

કચ્છના કબરાઉમાં શ્રીવડવાળી મોગલધામમાં દિપાવલી પર્વમાં ભાવિકો ઉમટયા

ર૪ કલાક હોમાત્મક યજ્ઞ સહિત અનેક ધાર્મિક કાર્યક્રમો

વાંકાનેર તા.૧૯ : કચ્છની પાવન ધરતી ઉપર ભચાઉ નજીક કબરાઉ પાસે આવેલ જગ વિખ્યાત ''શ્રી વડવાળી મોગલમાં'' મોગલધામ શ્રી વડવાળી મોગલમાંના ધામમાં હજારો ભાવિકોએ માતાજીના દર્શનનો મહા આરતીનો તેમજ ''મહાપ્રસાદ'' લઇને ધન્ય થયેલા હતા કબરાઉમાં આવેલ શ્રી વડવાળી મોગલધામમાં કાયમ માટે દર મંગળવારે સવારથી બપોર સુધી મેળો ભરાય છે. માત્ર કચ્છથી જ નહી પરંતુ દેશ-વિદેશથી માંના દરબારમાં મંગળવારે હજારો ભાવિકો ઉમટે છે.

બરાઉમાં આવેલ ''શ્રી મોગલધામ'' વડવાળી મોગલધામમાં આજે કોઇપણ જાતનું દાન સ્વીકારાતુ  નથી.કબરાઉમાં આવેલ શ્રી મોગલધામમાં કોઇપણ જાતના ભેદભાવ વિના મહાપ્રસાદ બન્ને ટાઇમ ચાલુ છે.

(12:01 pm IST)