Gujarati News

Gujarati News

News of Thursday, 19th November 2020

કેશોદ નજીક ટ્રેકટરે રીક્ષાને પલ્ટી ખવડાવતા પરિણીતાનું મૃત્યુ

રેવદ્રા ગામે માતાજીનાં દર્શને જતાં અકસ્માત નડ્યો

જુનાગઢ,તા.૧૯ : કેશોદ નજીક ટ્રેકટરે રીક્ષાને પલ્ટી ખવડાવતા પરણીતાનું મોત થયુ હતું. અને ત્રણ વ્યકિતને ઇજા થઇ હતી.

માંગરોળ ખાતે માત્રી રોડ પર આવેલ કોરોનેશન હાઇસ્કૂલ પાસે રહેતા રાહુલ પ્રેમજીભાઇ  ચુડાસમા (ઉવ.૨૫) તેમની મીની પ્યાગો રીક્ષામાં પત્ની અસ્મીતાબેન (ઉવ.૨૪) તથા પુત્ર વગેરે ગઇકાલે સવારનાં કેશોદનાં રેવદ્રા ગામે માતાજીનાં દર્શને જતા હતો ત્યારે રેવદ્રા ગામ નજીક ફોન આવતા રાહુલભાઇ રીક્ષા સાઇડમાં ઉભી રાખીને વાત કરતાં હતાં તેવા સમયે અજાણ્યા ટ્રેકટરે પુર ઝડપે આવી પ્યાગો રીક્ષાને ટક્કર મારી પલ્ટી ખવડાવી દીઘી હતી.

આ અકસ્માતમાં અસ્મીતાબેનનું તેના પતિ રાહુલભાઇ સામે ગંભીર ઇજા થવાથી મૃત્યુ નિપજ્યું હતું. જ્યારે અન્ય ત્રણ વ્યકિતને ઇજા થઇ હતી.

અકસ્માત અંગે પી.એસ.આઇ. પી.એસ. ઝાલા એ આગળની તપાસ હાથ ધરી છે.

(12:03 pm IST)