Gujarati News

Gujarati News

News of Thursday, 19th November 2020

જૂનાગઢ મહાનગરપાલિકા દ્વારા સ્નેહમિલન કાર્યક્રમ સંપન્ન

જૂનાગઢઃ અત્રેની મહાનગરપાલિકા દ્વારા પ્રતિ વર્ષ નૂતન વર્ષની શુભેચ્છા સહ સ્નેહ મિલન કાર્યક્રમનું આયોજન કરવામાં આવેલ. જેના ભાગ રૂપે 'શ્રી પંડિત દિનદયાલ ઉપાધ્યાય સભાખંડ' મહાનગરપાલિકા કચેરી ત્રીજો માળ, જૂનાગઢ ખાતે તા. ૧૭ના મંગળવારના રોજ મેયર ધીરૂભાઇ ગોહેલ, કમિશનર તુષાર સુમેરા, ડે. મેયર હિમાંશુભાઇ પંડ્યા, કોર્પોરેટર જીવાભાઇ સોલંકી, વાલભાઇ આમછેડા, આરતીબેન જોષી, શારદાબેન પુરોહિત, પલ્લવીબેન ઠાકર, ભાવનાબેન હીરપરા, લાભુબેન મોકરિયા તેમજ આસી. કમિશનરશ્રી જયેશભાઇ વાજા, ચીફ ઓડીટરશ્રી નંદાણીયા સેક્રેટરી કલ્પેશભાઇ ટોલિયા, સી.ટી. ઇજનેર લલીતભાઇ વાઢેર, ઓફીસ સુપ્રી. જીગ્નેશભાઇ પરમાર તથા અધિકારીશ્રી કર્મચારીઓની ઉપસ્થિતીમાં સ્નેહ મિલન કાર્યક્રમ યોજાયો. તેમજ મેયરશ્રી ધીરૂભાઇ ગોહેલ, કમિશનરશ્રી તુષાર સુમેરા દ્વારા કર્મચારી તથા નગરજનોને નવા વર્ષની શુભકામનાઓ પાઠવેલ. તે વખતની તસ્વીર.

(12:51 pm IST)