Gujarati News

Gujarati News

News of Thursday, 19th November 2020

સોમનાથમાં દિવાળીએ માનવ મહેરામણ ઉમટ્યો

તહેવારોમાં ભક્તોની ભારે ભીડ

અમદાવાદ,તા.૨૬ : વિશ્વ પ્રસિદ્ધ ભારત બાર જ્યોર્તિલિંગ પ્રથમ દેવાધિદેવ સોમનાથ મહાદેવ મંદિરે દિવાળીના તહેવારોમાં વિશાળ માનવ મહેરામણ ઉમટ્યો હતો અને સમગ્ર વાતાવરણ મેળા જેવું બન્યું હતું. તા. ૧૭ નવેના રોજ ૩૫૦૦૦ લોકોએ સોમનાથ મહાદેવ દર્શન કર્યા અને તા. ૧૬ના રોજ ૧૯૦૦૦ લોકોએ સોમનાથ દર્શન કર્યા. કોરોના ગાઈડ લાઈન અમલ સાથે વેરાવળ વિભાગની એસટી વિભાગ દિવાળી તહેવારોમાં દસ લાખથી વધુની આવક મેળવી આઠ હજારથી વધુ મુસાફરોને પરિવહન કરાવ્યું અને ૨૦૦થી વધુ ટ્રીપો દોડાવાઈ સ્થાનિક ક્યાસ મુજબ અંદાજે એક લાખ જેટલા યાત્રિકો-ભાવિકો પ્રવાસીઓ સોમનાથ મહાદેવના દર્શન યાત્રા અને આજુબાજુના પવિત્ર સંગ્રામ, ગીતામંદિર દર્શન કરવા આવ્યા અને ભારે ભીડથી વાહનોના થપ્પા લાગ્યા અને હાઈવે ધમધમતા રહ્યા હતા.

(9:12 pm IST)