Gujarati News

Gujarati News

News of Friday, 19th November 2021

વાંકાનેર ભાટીયા સોસાયટીમાં આયોજીત દેવી ભાગવત સપ્તાહની પુર્ણાહૂતિઃ કથાકારનું સન્‍માન

(નિલેશ ચંદારાણા દ્વારા) વાંકાનેર તા. ૧૯ :.. ભાટીયા સોસાયટીમાં મહાકાળી મહિલા મંડળ આયોજીત શ્રીમદ્‌્‌ દેવી ભાગવત સપ્તાહમાં ધામધુમથી પાવન પ્રસંગો ઉજવાયા હતા ભાટીયા સોસાયટી અને આસપાસના ઘણા ભાવીકોએ કથાનો લાભ લીધો હતો.
કથાની પુર્ણાહૂતિ પ્રસંગે વાંકાનેરના મહારાણારાજ શ્રી કેશરીદેવસિંહજી ઝાલા, મોરબી જીલ્લા બ્રહ્મ સમાજના પ્રમુખ ભરતભાઇ ઓઝા, ચંદ્રપુર ગામના સરપંચ હરીશચંદ્રસિંહ ઝાલા, દુષ્‍યંત ઠાકર, અમિતભાઇ ભટ્ટ, રાજુભાઇ રાવલ, શહેર ભાજપ પ્રમુખ પરેશભાઇ મઢવી, મોહનભાઇ રાજગોર, પ્રવિણભાઇ દાદલ, વાંકાનેર તાલુકા પંચાયતના પ્રમુખના પતી ધર્મેન્‍દ્રસિંહ ઝાલા સહિતના અગ્રણીઓએ વ્‍યાસપીઠ ઉપર બીરાજબાને પૂ. જગદીશબાપુનું શાલ અને પુષ્‍પમાળાથી સન્‍માન કર્યુ હતું.
કેશરીદેવસિંહજી ઝાલા તથા ભરતભાઇ ઓઝાનું મહીલા મંડળના બહેનોએ શાલ ઓઢાડી સન્‍માન કર્યુ હતું. આ બન્ને અગ્રણીઓએ મહીલા મંડળના આ ધાર્મિક આયોજનને બીરદાવ્‍યું હતું. પૂ. જગદીશબાપુએ પણ આર્શિવાદ આપ્‍યા હતાં.


 

(10:13 am IST)