Gujarati News

Gujarati News

News of Friday, 19th November 2021

હવે ભુપેન્દ્રભાઇ દ્વારકાધીશ ભગવાનના દર્શને કાલે નહીં આવેઃ માત્ર નાયરા એનર્જીનું શિલાન્યાસ કરશે

(કૌશલ સવજાણી દ્વારા) ખંભાળીયા, તા.૧૯: રાજયના મુખ્યમંત્રી શ્રી ભુપેન્દ્રભાઇ પટેલ મુખ્યમંત્રી થયા બાદ દ્વારકા જિલ્લાની પ્રથમ મુલાકાતે તા.૨૦/૧૧ના રોજ બપોરે દ્વારકા દર્શન તથા બપોર પછી નાયરા એનર્જીના પ્લાન્ટનું શિલાન્યાસ કરવાના હતા તેમાં થોડો ફેરફાર થયો છે.

દ્વારકા દર્શનનો મુખ્યમંત્રીનો કાર્યક્રમ રદ થયો છે. જયારે બપોરે ૧ાા થી ૨ાાનો નાયરાનો શિલાન્યાસ કાર્યક્રમ યથાવત રહ્યો છે તથા મુખ્યમંત્રી સાથે કેન્દ્રિય પેટ્રોલીયમ તથા નેચરલ ગેસ અને આવાસ તથા શહેરી બાબતોના મંત્રીશ્રી હરદીપ પુરી પણ સાથે જોડાશે.

બપોરે દ્વારકાધીશ મંદિરના પડદા બંધ હોય તથા અન્ય કાર્યક્રમોને લીધે પછીથી મુખ્યમંત્રી દ્વારકા જિલ્લાની ખાસ મુલાકાત લેનાર હોવાનું જાણવા મળે છે.

(12:38 pm IST)