Gujarati News

Gujarati News

News of Saturday, 19th November 2022

સાળંગપુર શ્રીકષ્‍ટભંજનદેવ હનુમાનજીને જામફળનો દિવ્‍ય શણગાર :

વાંકાનેર-આટકોટ : શ્રી વડતાલધામ સંચાલિત સુપ્રસિધ્‍ધ યાત્રાધામ શ્રી કષ્‍ટભંજનદેવ હનુમાનજી મંદિર ખાતે દાદાને જામફળનો દિવ્‍ય શણગાર ધરાવાયો. એવં સવારે ૫:૩૦ કલાકે મંગળા આરતી પુજારી સ્‍વામી દ્વારા સવારે ૭ કલાકે શણગાર આરતી કોઠારી શ્રી વિવેકસાગરદાસજી સ્‍વામી (અથાણાવાળા) દ્વારા કરવામાં આવેલ. દાદાને દિવ્‍ય વાઘાનો શણગાર તેમજ સિંહાસનને જામફળથી શણગારવામાં આવેલ. દાદાને જામફળનો અન્‍નકૂટ બપોરે ૧૧:૧૫ કલાકે ધરાવાયો. તેમજ દાદાના હજારો ભકતોએ દિવ્‍ય દર્શનનો લાભ પ્રત્‍યક્ષ તેમજ યુટયુબ ચેનલ દ્વારા ઓનલાઇન લાભ લીધો હતો. મંદિર પરિસરમાં મોટી સંખ્‍યામાં ભાવિકો ઉપસ્‍થિત રહ્યા હતા.

(10:06 am IST)