Gujarati News

Gujarati News

News of Saturday, 19th November 2022

ભાવનગરમાં કંકાવટી ગ્રુપ દ્વારા સ્નેહમિલન

ભાવનગર :  ભાવનગરમાં કંકાવટી ગ્રુપના સભ્ય બહેનો માટે તા. ૧૫ ના રોજ રવેચી માના મંદિરે સ્નેહમિલન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં બહોળી સંખ્યામાં બહેનોની હાજરી સાથે, સરપ્રાઇઝ ગેમ, લકકી લેડી અને ફેશન શોનું આયોજન કરવામાં આવ્યું હતું. દરેક બહેનોઍ આનંદથી ભાગ લઇ. ઇનામો પણ જીત્યા હતા. સાથે ગ્રુપના સંચાલક   રાજેશ્રીબેન પરમારે ગ્રુપની  માહિતી આપી, અને નવા મેમ્બર્સને આવકાર્યા હતા. આ કાર્યક્રમમાં માલતીબેન યોગી અને સાક્ષી બેન યોગી તરફથી બહેનોને ઇનામો આપવામાં આવ્યા હતા. અને પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા. કાર્યક્રમના અંતે સૌ બહેનો ભોજન કરી આનંદથી છુટા પડ્યા હતા.સમગ્ર કાર્યક્રમનું આયોજન રાજેશ્રીબેન પરમાર અને વિશ્વાબેન પરમારે કયુઁ હતુ. (તસ્વીર-અહેવાલ : મેઘના વિપુલ હિરાણી ભાવનગર)

(12:08 pm IST)