Gujarati News

Gujarati News

News of Saturday, 19th November 2022

માળીયામિંયાણાના મેઘપર ગામે દિવાલ પડતા ઘવાયેલા વૃધ્‍ધનું મોત

(પ્રવિણ વ્‍યાસ દ્વારા) મોરબી,તા. ૧૯: માળીયામિંયાણા તાલુકાના મેઘપર ગામે ઘરની દિવાલ પડતા ઘવાયેલા વૃધ્‍ધનું મોત નિપજ્‍યું હતું.

પ્રાપ્‍ત વિગતો અનુસાર માળીયા તાલુકાના મેઘપર ગામે રહેતા ૬૨ વર્ષીય જેસંગભાઇ ટપુભાઇ ડાંગર ઉપર ગતા તા. ૧૮/૧૧ રોજ અચાનક ઘરની દીવાલ પડતા તેઓ ગંભીર ઇજાગ્રસ્‍ત થતા પ્રથમ તેમને આયુષ હોસ્‍પિટલ મોરબી ત્‍યાંથી વધુ સારવાર અર્થે તેમને મોરબીની સરકારી હોસ્‍પિટલ ખાતે ખસેડવામાં આવ્‍યા હતા. જ્‍યાં ફરજ પરના તબીબે તેમને મૃત જાહેર કર્યા હતા. આ અંગે માળીયા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

(11:52 am IST)