Gujarati News

Gujarati News

News of Saturday, 19th November 2022

વિસાવદરમાં અનુસુચિત જાતિ સમિતિ દ્વારા દિવંગત પોલીસ અધિકારી જોગદીયાની

શોકસભા : (યાસીન બ્‍લોચ દ્વારા) વિસાવદર તા.૧૯  : વિસાવદરમા જૂના બસ સ્‍ટેન્‍ડ ચોક ખાતે ડો.બાબા સાહેબ આંબેડકરજીની પ્રતિમા પાસે તાજેતરમા અકસ્‍માતમા સ્‍વર્ગવાસી થયેલા લોકપ્રિય પોલીસ અધિકારી જે.જે.જોગદીયાને શ્રધ્‍ધાજંલી અર્પણ કરવા શોકસભાનુ આયોજન કરવામા આવ્‍યુ હતુ. જેમાં સ્‍વર્ગસ્‍થ જોગદિયા ડો.બાબા સાહેબ આંબેડકરજીના વિચારોને વરેલા હતા અને આ વિચારોથી સમગ્ર સમાજ પ્રેરિત થાય તેવા સઘન પ્રયાસો કર્યા હતા જેની યાદ તાજી કરી સૌએ ભીની આંખે શોકાંજલી અર્પણ કરી હતી.

(1:43 pm IST)