Gujarati News

Gujarati News

News of Friday, 20th January 2023

જુનાગઢ મયારામદાસ આશ્રમ ખાતે ભંડારો યોજાયો

 (વિનુ જોષી દ્વારા) જૂનાગઢ,તા.૨૦ : મહર્ષિ ગુરુકુળ બ્રહ્મચર્ય આશ્રમ ગિરનાર રોડ જુનાગઢ ના શ્રી મયરામદાસજી આશ્રમ ખાતે પૂજ્‍ય જનાર્દનદાસજી બાપુનો ભંડારો યોજવામાં આવેલો હતો.

 આ ભંડારો આ સંસ્‍થાના આચાર્ય ટ્રસ્‍ટી  વેદાંત આચાર્ય  અભી રામદાસજી ગુરૂ માયારામદાસજી દ્વારા તેમના ગુરૂભાઈ પૂજ્‍ય જનાર્દનદાસજી બાપુનો ભંડારો રાખેલ  હતો. જેમાં વૈષ્‍ણવ સંપ્રદાયના  પ્રમુખ અને મહામંડલેશ્વર શ્રી રામદાસ બાપુ ખાખચોક વાળા હાજર રહેલ અને ૨૦૦ થી વધુ સંતોએ ભોજન પ્રસાદ કરાવી ભેટ પૂજા આપવામાં આવેલ હતી આ ભંડારામાં સંસ્‍થાના ટ્રસ્‍ટી મનસુખભાઈ વાજા  પ્રેરણાસ્ત્રોત બની યોગેશભાઈ પાઠક મુંબઈ દ્વારા ભોજન પ્રસાદનું આયોજન કરેલ હતું તેમજ સંતોને ભેટ પૂજા આપવા માટે આશ્રમ પરિવાર સક્રિય રહેલ હતો તેમજ ભંડારાની અંદર જૂનાગઢના વૈષ્‍ણવ સાધુ સમાજ તેમજ સૌરાષ્‍ટ્ર માંથી  સંતો મહંતો પધારેલ હતા.

 કાર્યક્રમને સફળ બનાવવા માટે  પૂજ્‍ય અભેરામદાસજી બાપુ, મનસુખભાઈ વાજા, હસમુખભાઈ ત્રિવેદી, કાંતિભાઈ મહેતા, વિનુભાઈ કારેલીયાએ ભારે રહેમત ઉઠાવેલ હતી .તેમજ સંસ્‍થાના જુના વિદ્યાર્થીઓ  પુનાભાઈ ,શાંતિભાઈ સોલંકી, સુરેશભાઈ, માર્કળભાઈ જોશી, સહિત હાજર રહેલા હતા. તેમજ બોટાદ સત્‍સંગ મંડળના પ્રમુખ  મુન્નાભાઈ તેમજ સ્‍વયં  સેવકો  સાથે હાજર  રહી ભંડારાને સફળ બનાવેલ હતો.

(10:50 am IST)