Gujarati News

Gujarati News

News of Friday, 20th January 2023

સુરેન્‍દ્રનગર - બોટાદ ટ્રેનના સમયમાં ફેરફાર કરવા અને નવી લોકલ ટ્રેન શરૂ કરવા માંગ

 ભાવનગર તા.૨૦ :  સુરેન્‍દ્રનગર- વઢવાણ - જોરાવરનગર - લીમડી - ચુડા રાણપુર અને બોટાદ વિસ્‍તારના સ્‍થાનિક વેપારી, ધંધાર્થીઆ,ે વિદ્યાર્થીઆ,ે નોકરીયાત વર્ગ ઉપરાંત સ્‍થાનિક લોકોને સામાજિક તથા વ્‍યવહારિક કામો અર્થે આવવા જવા માટે સુરેન્‍દ્રનગરથી સવારે બોટાદ તરફ જવા માટે સવારે ૭ થી ૮ના સમયગાળામાં એક પણ ટ્રેન ઉપલબ્‍ધ ન હોવાથી સ્‍થાનિક લોકોને ખૂબ જ મુશ્‍કેલી રાખવી પડે છે. જેથી સ્‍થાનિક આગેવાનો અને વેપારીઓએ સુરેન્‍દ્રનગરથી સવારે ૭ વાગ્‍યે લોકલ ટ્રેન તથા બાંદ્રનો જૂનો સમય ૭:૩૭ સવારે યથાવત રાખવા તથા બોટાદથી સવારે છ થી સાત સાંજે લોકલ ડૂમી ટ્રેન શરૂ કરવા રજૂઆત કરી છે.

(10:54 am IST)