Gujarati News

Gujarati News

News of Friday, 20th January 2023

કાલે ખોડલધામમાં ભુપેન્‍દ્રભાઇ પટેલના હસ્‍તે ધ્‍વજારોહણ

ગુજરાત સરકારના નવનિયુક્‍ત મંત્રીઓનું સન્‍માન કરાશે : પાર્કિંગથી લઇને મંદીર સહિત ૪૦૦૦ જેટલા સ્‍વયંસેવકો ખડેપગે સેવા આપશે

(કિશન મોરબીયા દ્વારા) વિરપુર (જલારામ), તા.૨૦: સૌરાષ્‍ટ્રનું વિખ્‍યાત યાત્રાધામ અને સમસ્‍ત લેઉવા પટેલ સમાજનું આસ્‍થાનું કેન્‍દ્ર એવા રાજકોટ જિલ્લામાં વિરપુર પાસે આવેલ કાગવડ ખોડલધામ મંદિરની પ્રાણપ્રતિષ્ઠાને ૬ વર્ષ પૂર્ણ થતાં ૭માં વર્ષમાં પ્રવેશ પ્રસંગે ખોડલધામ મંદિર ટ્રસ્‍ટ દ્વારા ભવ્‍ય ઉત્‍સવનું આયોજન કરવામાં આવી રહ્યું છે જેને લઈને મંદિર ટ્રસ્‍ટના દેશભરના ખોડલધામ કન્‍વીનરો અને સ્‍વયંસેવકોની મિટનું આયોજન કરવામાં આવસે,આ ઉત્‍સવ તારીખ ૨૧ જાન્‍યુઆરીએ ઉજવવામાં આવશે જેમાં લોકડાયરો, યજ્ઞ,ધ્‍વજારોહણ, તેમજ માં ખોડલની મહા આરતી અને મહાપ્રસાદનું આયોજન કરવામાં આવ્‍યું છે આ તકે ગુજરાતના મુખ્‍યમંત્રી ભુપેન્‍દ્રભાઇ પટેલ ધ્‍વજારોહણ કરશે સાથે રાજ્‍યના મંત્રી મંડળ,ધારાસભ્‍યો, તેમજ લેઉવા પટેલ સમાજના આગેવાનો, અગ્રણીઓ હાજરી આપશે, સાથે જ ખોડલધામ ખાતે પાર્કિંગથી લઈને મંદિર પરિસર સુધી ૪૦૦૦ જેટલા સ્‍વયંસેવક સેવામાં ખડેપગે રહેશે,અને મોટી સંખ્‍યામાં લેઉવા પટેલ સમાજ ઉમટી પડશે, જેને લઈને કાગવડ ખોડલધામ મંદિરમાં તડામાર તૈયારીઓ શરૂ કરવામાં આવી રહી છે.

(11:34 am IST)