Gujarati News

Gujarati News

News of Friday, 20th January 2023

મોરબીમાં અકસ્‍માતનો ભોગ બનેલ દર્દીને મદદ કરનારનું કલેકટર-ડીવાયએસપીના હસ્‍તે સન્‍માન

(પ્રવિણ વ્‍યાસ દ્વારા) મોરબી,તા. ૨૦ : માત્ર મોરબી જ નહિ સમગ્ર દેશમાં પ્રતિદિન રોડ અકસ્‍માત થતા રહે છે જે રોડ અકસ્‍માતમાં નિર્દોષ માનવ જિંદગી હોમાતી જાય છે ત્‍યારે મોરબીના સેવાભાવીએ રોડ અકસ્‍માતમાં ઘવાયેલા દર્દીને તુરંત હોસ્‍પિટલ પહોંચાડી માનવીય સહાયતા કરી હોય જે બદલ જીલ્લા કલેકટર અને ઇન્‍ચાર્જ એસપીના હસ્‍તે સન્‍માન કરાયું હતું.

મોરબી જીલ્લા કલેકટર જી ટી પંડ્‍યા અને ઇન્‍ચાર્જ એસપી પી એસ ગોસ્‍વામીના હસ્‍તે મોરબીના સેવાભાવી સંજયભાઈ મહીપતભાઈ શેઠને સર્ટીફીકેટ અર્પણ કરી સન્‍માન કરાયું હતું સંજયભાઈ શેઠ દ્વારા રોડ અકસ્‍માતના દર્દીને તુરંત મેડીકલ સહાયતા મળે તે માટે હોસ્‍પિટલ ખસેડવામાં મદદ કરી હતી જે ઉમદા કાર્ય બદલ તેમનું સન્‍માન કર્યું હતું તેમજ અન્‍ય નાગરિકો પણ રોડ અકસ્‍માતના દર્દીઓને તાકીદે સારવાર મળે તે માટે જરૂરી મદદ કરે તેવી અધિકારીઓએ અપીલ કરી હતી.

(2:49 pm IST)